
આખું જગત જે જે કરે છે તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી જપ કરો, તપ કરો, બધું કુદરતી વિસર્જન છે. ફૂલ ચઢાવે છે, તેનો ઉપકાર શો ? અને ગજવું કાપે, તેનો અપકાર શો ? સર્જનમાં પોતે નિમિત્ત હોય છે ને વિસર્જન તો કુદરત જ કરે છે. આ વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું ! આ ખાવા-પીવાની ચીજ જોડે એવા ભાવ કરે છે, તેથી આવી વળગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે, મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખીન ના થઈશ.
પરમ પૂજ્ય દાદા ભગવાનપરમ ઉપકારકર્તા પર કિંચિત્માત્ર રાગ નહીં ને પરમ ઉપસર્ગકર્તા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, એવું વીતરાગ ચારિત્ર જાણવાનું છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
