
બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા !
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો અનુભવ ના થાય, સચ્ચી આઝાદી ના થાય, ત્યાં સુધી અટકવું ના જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારમાં શું સુખ છે? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે. કોઈ ડખલ જ ના કરી શકે એવી સચ્ચી આઝાદી થાય એવું છે. જે ડખલ આવે છે તે ડખો કરેલો તેનાં પરિણામ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ બે જ વાક્યમાં હું આખું ‘સાયન્સ’ કહેવા માગું છું: જીવમાત્રમાં પરમાત્મ શક્તિ રહી છે. તે પરમાત્મ શક્તિને કોઈ ડખલ કરી શકે જ નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
