
જગત કલ્યાણના ‘અમે’ નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો.
પરમ પૂજ્ય દાદા ભગવાનભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે? મહાપુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે.
પરમ પૂજ્ય દાદા ભગવાન‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈનુંય મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું, તો તમે ‘કેવળજ્ઞાન’થી જુદા પડ્યા! ઓછામાં ઓછાં મન આપણાથી લોકોનાં જુદાં થવાં જોઈએ. નહીં તો ત્યાં સુધી ‘મુક્ત હાસ્ય’ આવશે નહીં ને ‘મુક્ત હાસ્ય’ વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅહંકારશૂન્ય થાય ત્યારે ‘નિર્વિકલ્પ સમાધિ’ કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનપોતે વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો ‘નિર્વિકલ્પી પુરુષ’નું નિમિત્ત જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. ‘નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
