
વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દૃષ્ટિ ના બગડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનજગત આસક્તિને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ ! આ બધું કામથી ઊભું થયું છે ! કામ ના થાય તો મહીંથી બધાં બૂમો પાડે, હલ્લો કરે ! સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું નથી. એક ‘જ્ઞાની પુરુષ’ જ પોતાના થાય. તેથી ભગવાને કહ્યું, ‘જીવમાત્ર અનાથ છે.’
પરમ પૂજ્ય દાદા ભગવાનસાચો ધર્મ ક્યાં છે ? કે જ્યાં સ્ત્રી, પુરુષ, છોકરાં, બાળકો, ઘૈડાં, અભણ, ભણેલાં બધાં ખેંચાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું ! આ ખાવા-પીવાની ચીજ જોડે એવા ભાવ કરે છે, તેથી આવી વળગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે, મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખીન ના થઈશ.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
