નિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો પછી એનો સાંધો આગળ મળી રહે. 'ટાઈમીંગ' પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના ટાઈમે નહીં, ને પાછો 'પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનનિશ્ચય કરવા છતાં ય મોળા પડી જાય તો ફરી ફરી નિશ્ચય કરવો. પણ 'આ મારાથી નથી થતું, તે નથી થતું' એવું બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) છિન્નભિન્ન થઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાંય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો !
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યવહાર એટલે 'સુપરફલુઅસ.' 'સુપરફલુઅસ' રહેવાને બદલે જગતના લોક વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે ને પાછા કહેય ખરા કે આમ જ હોવું જોઈએ, આમ જ કરવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનકૃપા એટલે ‘એવરી ટાઈમ સિન્સીયર.’ નૈમિત્તિક કૃપાપાત્ર થયા સિવાય ‘નિશ્ચય’ પ્રાપ્ત થાય નહીં. એ તો ક્રમિક માર્ગમાંય નૈમિત્તિક કૃપા ખરી. ‘અમે’ તો ‘સ્પેશ્યલ’ કૃપા વરસાવીએ છીએ. પરમ વિનયથી ‘અમારી’ કૃપા ઊતરે છે. ‘કમ્પ્લીટ સિન્સીયારિટી’ એકલી જ જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનનિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુદ્ધ વ્યવહાર !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events