
તારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ લોકોને ભગવાનની શોધખોળની કિંમત જ નથી. આમાં ઊંડા ઊતર્યા જ નથી. પૈસા કમાવવાએ તેમાં જ ઊંડા ઊતર્યા છે. જોગ્રોફી જુએ, કયા બંદરે ઊતરીશું ? પછી 'કેન્ટિન' મળશે કે કેમ ? એ બધાંની તપાસ કરે. પણ ભગવાન તો સસ્તો (!) એની 'નો વેલ્યુ' ! એની જ તપાસ નહીં કરવાની ?!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆખું જગત જે જે કરે છે તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી જપ કરો, તપ કરો, બધું કુદરતી વિસર્જન છે. ફૂલ ચઢાવે છે, તેનો ઉપકાર શો ? અને ગજવું કાપે, તેનો અપકાર શો ? સર્જનમાં પોતે નિમિત્ત હોય છે ને વિસર્જન તો કુદરત જ કરે છે. આ વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
