
સ્યાદ્વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઘરડા થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શા કામનો ? આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનજીવનમાં વહેલું મરવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ને ના મારવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે. જ્યારે સ્ટેશન આવે ત્યારે ઊતરી પડવું. મરવાનીય નહીં ને ના મરવાનીય ભાવના ના રાખવી.
પરમ પૂજ્ય દાદા ભગવાનકડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
