દાદા ભગવાન ફાઉન્ડેશન, અડાલજ અને તેની સાથે સંકળાયેલ ચેરિટેબલ ટ્રસ્ટો, અક્રમ વિજ્ઞાન દ્વારા વિશ્વમાં શાંતિ, એકતા અને પરમ સુખનો પ્રસાર કરવાના ઉદ્દેશથી રચાયેલી આધ્યાત્મિક અને નોન-પ્રોફિટ સંસ્થાઓ છે, જેની રચના જ્ઞાની પુરુષ, શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી અથવા દાદા ભગવાન તરીકે ઓળખાય છે, તેમણે કરી છે.

DBF વિશ્વભરમાં અને ભારતનાં વિવિધ રાજ્યોમાં પૂજ્ય દીપકભાઈના સત્સંગ/જ્ઞાનવિધિ (બે કલાકમાં આત્મ સાક્ષાત્કાર પામવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા)નું આયોજન કરે છે. આ સત્સંગો પ્રશ્નોત્તરીરૂપે હોય છે, જેમાં સૂક્ષ્મતમ આધ્યાત્મિકથી લઈને, સ્થૂળ સાંસારિક બાબતો/સમસ્યાઓ/શંકાઓ જેવા વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે. આ સત્સંગ/જ્ઞાનવિધિ કોઈ પણ જાતિ, રંગ, ધર્મ અથવા સંપ્રદાયના ભેદ વિના, સામાન્ય જનતા માટે વિના મૂલ્યે હોય છે.

DBF આ આધ્યાત્મિક વિજ્ઞાન(અક્રમ વિજ્ઞાન)ના પ્રચાર માટે દેશના જુદા જુદા ભાગોમાં, નિષ્પક્ષપાતી ત્રિમંદિરોનું નિર્માણ અને તેનું સંચાલન કરે છે. આ આધ્યાત્મિક વિજ્ઞાનનો પ્રચાર પુસ્તકો, મંથલી મેગેઝિન, ડીવીડીઝ, વેબસાઈટ્સ, અને જુદી જુદી ટીવી ચેનલ્સનાં માધ્યમ દ્વારા થતા સત્સંગ પ્રસારણથી પણ કરવામાં આવે છે.

પુખ્ત વયના લોકો માટે સત્સંગ/જ્ઞાનવિધિ ઉપરાંત, જુદી જુદી પ્રવૃતિઓ, મંથલી મેગેઝીન અને અન્ય પુસ્તકો અને વેબસાઈટ દ્વારા, DBF આખી દુનિયાનાં બાળકો અને યુવાનોને સંસ્કાર આપી ચારિત્ર્યનું ઘડતર કરે છે.

DBFએ મુમુક્ષોઓનાં આધ્યાત્મિક વિકાસને સરળ બનાવવા માટે, આવશ્યક સુવિધાઓ સાથેના આવાસી સંકુલ (સીમંધર સીટી)નું નિર્માણ કરેલ છે.

આ ઉપરાંત, DBF રાહત દરે, નિરાંત (ઘરડાઘર), અંબા હેલ્થ સેન્ટર (હોસ્પિટલ), ઉણોદરી (ભોજનશાળા), ગુરુકુળ (સ્કૂલે જતાં બાળકો માટે રહેઠાણ), સ્ટોપ એન્ડ સ્ટે (મુલાકાતીઓ માટે રહેણાંક સુવિધા) અને અંબા સ્કૂલ ફોર એકસેલન્સ પણ ચલાવે છે.

Dadabhagwan Foundation Brochure Download Brochure

×
Share on