ભયમુક્તિનો માર્ગ

શું એવું તમારા ધ્યાનમાં આવ્યું છે કે, કોઈપણ સંબંધોમાં, જો તમને કોઈ (વ્યકિત) ના ગમતી હોય, તો તમને તેની ભૂલો (દોષ) દેખાવાનું શરૂ થઈ જાય છે? આમ સતત ભૂલો (દોષો) જોવાના લીધે સામા માટે તિરસ્કાર ઉત્પન્ન થઈ જાય છે. પછી જ્યારે જ્યારે તમે તે વ્યકિતનાં સંપર્કમાં આવો છો, ત્યારે તમને અકળામણ થાય છે. અકળામણની સાથે તીવ્ર અભાવ થવાથી તે વ્યકિત માટે ભય ઉત્પન્ન થાય છે આ પૂરવાર કરે છે કે,  તમે એવી વ્યકિતઓથી ભય પામો છો, કે જેની ભૂલો તમને દેખાય છે.

હકીકતમાં, આખુ જગત નિર્દોષ છે. સામેની વ્યકિત તમારું કર્મ પુરું કરાવવામાં, માત્ર નિમિત્ત છે. જો તમે આવું વિચારો અને બીજાની ભૂલો જોવાનું બંધ કરી દો, તો તમે આપોઆપ ભયમુક્ત થઈ શકો છો.

કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, ‘વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.’ કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે!

દાદાશ્રી કહે છે કે, ‘આત્મા સ્વભાવથી જ સુખનું ધામ છે. પોતે આત્મ સ્વરૂપે છે, બીજું કોઈ તેની પાસેથી તેનું સુખ છીનવી શકે એમ છે નહીં. તે સ્વભાવથી જ દુઃખ અને ભોગવટાથી મુક્ત છે. તેની પાસે જબરદસ્ત ઐશ્વર્ય (પ્રભાવ) છે. કોઈ પણ દુઃખ તેને કેવી રીતે અસર કરી શકે?” તેથી જો તમે તમારા અનંતા સુખના ધામ એવા આત્મ સ્વરૂપને ઓળખો, તો તમને ક્યારેય ભોગવટો નહીં આવે.

વધુમાં, તમે જ્ઞાની પુરુષની નિર્દોષ દ્રષ્ટિની સમજણથી ભયના મૂળ કારણને સમજીને, કોઈપણ પ્રકારનાં ભયમાંથી મુક્ત થઈ શકો છો. માત્ર આટલી અંતર (સૂક્ષ્મ) દ્રષ્ટિ જ તમને શાંત અને ભયમુક્ત બનાવશે.

મુક્તિ મરણના ભયથી

દરેક જીવ અનંત અવતારથી મરણના ભયમાં ને ભયમાં રહે છે. આત્મસ્વરૂપ પામવાથી જન્મ-મરણ માંથી મુક્ત થવાય એમ છે. મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટેની વિશેષ સમજણ.

play
previous
next

Top Questions & Answers

  1. Q. લોકોને ભય શા માટે લાગે છે?

    A. મનુષ્યોનું નિરાશ્રિતપણું આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય.... Read More

  2. Q. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?

    A. અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા: છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં... Read More

  3. Q. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?

    A. પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ? દાદાશ્રી:... Read More

  4. Q. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?

    A. પ્રશ્નકર્તા: મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી: દુઃખ શું... Read More

  5. Q. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?

    A. પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો... Read More

  6. Q. ભય પાછળનું વિજ્ઞાન શું છે?

    A. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં... Read More

  7. Q. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?

    A. તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ... Read More

  8. Q. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?

    A. પ્રશ્નકર્તા: તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી: અભયદાનને તો બધા લોકોએ... Read More

  9. Q. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?

    A. પ્રશ્નકર્તા: તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ? દાદાશ્રી: અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો... Read More

  10. Q. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?

    A. ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું... Read More

  11. Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?

    A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More

  12. Q. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?

    A. આધિ-વ્યાધિ-ઉપાધિ જગત આખું ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે ! અરે, પેટ્રોલના અગ્નિથી ભડકે બળી રહ્યું છે... Read More

  13. Q. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?

    A. દાદાશ્રી: હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા: મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને... Read More

  14. Q. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?

    A. ભય આખા બ્રહ્માંડના દરેક જીવ ભયથી ત્રાસ પામે છે. ભય તો દરેક જીવ માત્રને હોય, પણ તેમને તે... Read More

Spiritual Quotes

  1. કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે.>
  2. રાતે સૂતા પહેલાં ભૂતનો ભો પેઠો હોય કે સાપનો ભો પેઠો હોય, તો આખી રાત તેને ભડકાટ-ભો રહ્યા કરે, ઊંઘેય નહીં અને સવારે એટલે કે પ્રકાશમાં તે ભય નાશ પામે ત્યારે તેનો ભડકાટ જાય. તેમ આ સંસારમાં પણ છે.
  3. જ્યારે મનુષ્યોમાં તો વિપરીત ભય પેસી ગયો છે. વિપરીત ભય એટલે એક જ ભય આવવાનો હોય પણ તેને તે સો જાતના દેખાય અને જે ભય નથી આવવાનો તે દેખાય તેને પણ વિપરીત ભય કહેવાય. એક જણ જમવા આવવાનો હોય અને લાગ્યા કરે કે સો જણ આવવાના છે તે વિપરીત ભય.
  4. ચિંતા કેમ થાય છે ? વિચારો આવે ને તેમાં તન્મયાકાર થાય છે, તેથી ચિંતા થાય છે.
  5. કશી મુશ્કેલી આવે તેમ નથી. મન ડગ્યું તો મુશ્કેલી વળગે ! બસ, આટલો જ જગતનો નિયમ છે !
  6. બુધ્ધિ શાને માટે છે ? ત્યારે કહે, બધાને ઠંડક આપવા માટે, નહીં કે ભડકાવવા માટે. જે બુધ્ધિ ભય દેખાડે તે વિપરીત બુધ્ધિ. તેને તો ઊગતાં જ દબાવી દેવી જોઈએ.
  7. ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં ? 'હું તને જોઈ લઈશ' કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?!
  8. ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે ‘કોઈ મને શું કહેશે ?’ >એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.
  9. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે.
  10. ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે !>
  11. પોતાની સત્તા તો જોઈ નથી, જાણી નથી ને પરસત્તામાં જ મુકામ કર્યો. તેથી નિરંતર ભય, ભય ને ભય જ લાગ્યા કરે છે.
  12. અપમાનનો ભો જતો રહે, તો વ્યવહારના માણસો નફ્ફટ થઈ જાય. અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે, તો માણસ સ્વતંત્ર થઈ જાય !

Related Books

×
Share on