શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, 'મનુષ્ય જીવનનો ખરો ધ્યેય શું છે?
શું હું માત્ર એક નામ છું કે મારી ઓળખ અને અસ્તિત્વથી કંઇક વધારે પણ
છે? શું પરમ અંતર શાંતિ અને આનંદનો અનુભવ શક્ય છે?
આવા બીજા ઘણાં આધ્યાત્મિક અને ભૌતિક મૂળભૂત પ્રશ્નોનાં ફોડ પરમ
પૂજ્ય એ. એમ. પટેલ કે જેઓ દાદા ભગવાન તરીકે પણ જાણીતા છે તેમના દ્વારા
ખુલ્લાં થયા છે. તેમણે દર્શાવ્યું કે, શુદ્ધાત્માના પરમ આનંદમાં
નાહીને તમામ પ્રકારની પરિસ્થિતિમાં સમતામાં રહેવું શક્ય છે. આ શક્ય
બન્યું છે, 'હું કોણ છું?'ની ઓળખ અને શુદ્ધાત્માનાં અનુભવ દ્વારા.
આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) જ્ઞાની
કૃપાથી માત્ર બે જ કલાકમાં વિના પ્રયત્ને પ્રાપ્ત થાય છે.
અક્રમવિજ્ઞાન એ વ્યવહારમાં વાપરી શકાય તેવું આધ્યાત્મ છે. જીવનમાં
આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓનાં ઉકેલ આપતું સંપૂર્ણ વિજ્ઞાન છે.
ઘણાં લોકોએ આ પરમ શાંતિનો અનુભવ કર્યો છે ! તો આવો અને
અનુભવો ખરા આત્માને ! .... જ્ઞાનવિધિમાં પધારો.