More

ભગવાન શ્રી કૃષ્ણના અસ્તિત્વને ૫૦૦૦ વર્ષ થયાં છે. તેમ છતાં, આજે પણ લોકો તેમની વિનય ભાવથી આરાધના કરે છે અને દિલથી ભાવપૂર્વક તમને ભજે છે. કેમ? તેમને સોળ હજાર રાણીઓ હતી અને રાજવી અને વૈભવી જીવન જીવતા હતા. છતાં, હજી પણ તેઓ ભગવાન તરીકે પૂજાય છે.

ભગવાન શ્રી કૃષ્ણ પૂજાને પાત્ર છે અને તેથી જ તેમનો આદર કરવામાં આવે છે. જે વ્યક્તિ પૂજનીય ન હોય તો તેમની ભજના પણ ન થવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા એક યોગ્ય વિનયપૂર્વક સમજથી કરવી જોઈએ નહિ કે, માત્ર પૂજા કરવાની ક્રિયા ખાતર જ.

krishna

શા માટે વિશ્વભરના લોકો શ્રી કૃષ્ણની આટલા ભક્તિભાવથી પૂજા કરે છે?

કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય ! વાસુદેવ અસાધારણ મહા-માનવ શક્તિઓ અને સિદ્ધિઓ ધરાવે છે. તેઓ એટલા શક્તિશાળી છે કે હજારો લોકો ફક્ત તેમની સામે દ્રષ્ટિ મેળવતાં જ ડરી જતા.

કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. અર્થાત, એમના આંતર આશયમાં બ્રહ્મચર્ય પ્રત્યે સતત પ્રબળ ભાવના રહ્યા કરતી હતી.

તેમ છતાં તેમના ઉદય કર્મો અબ્રહ્મચર્યના હતા, પરંતુ તેનો આંતરિક હેતુ હંમેશા શુદ્ધ બ્રહ્મચર્યની તરફેણમાં હતો. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, 'ચોરી નથી કરવી,' તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. 'શું ચાર્જ થઇ રહ્યું છે' તે એનો હિસાબ છે !

એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, 'આ લોકોનું આમ પડાવી લઉં', તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે, તે ગણાય !

જે પાંચેય ઇન્દ્રિયો દ્વારા કાંઈ જુએ છે અને અનુભવે છે તે દરેક વસ્તુનો આવતા ભવના કર્મના હિસાબ સાથે કંઈ લેવા દેવા નથી. જેનું મહત્વ છે તે એ આંતરિક ભાવનું છે; આની સીધી અસર નવા કર્મ બંધન પર થાય છે. આંતરિક ભાવ બહારની બધી ક્રિયાઓ ચાલતી હોય તે દરમ્યાન એક સાથે અંદરની ક્રિયાઓમાં થતા હોય છે.

ભગવાન (એટલે કે શુદ્ધાત્મા) શ્રી કૃષ્ણમાં પ્રગટ થયા અને આ રીતે જ તેઓ નર (એક સામાન્ય માનવી) થી, તે નારાયણ (ભગવાન) બન્યા !!!

શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ

આપણે બધા શ્રી કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપની પૂજા-ભક્તિ કરીએ છીએ તો શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ જાણવા માટે આ વીડિયો નિહાળો.

સુદર્શન ચક્રનું મહત્વ

તમે ભગવાન કૃષ્ણની જમણી તર્જની આંગળી પર બિરાજમાન ગોળ ફરતું હથિયાર જોયું હશે અને લગભગ આપણે બધા જાણીએ છીએ કે એને સુદર્શનચક્ર કહેવામાં આવે છે. પરંતુ આ ચક્ર શું સૂચવે છે? પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે, “એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન.”

krishna

તેથી, સુદર્શન ચક્ર સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન સૂચવે છે. દર્શન એટલે દ્રષ્ટિ; અને સુદર્શન એટલે સાચી દ્રષ્ટિ. 'હું શુદ્ધાત્મા છું' એ સાચી દ્રષ્ટિ છે. અજ્ઞાનતાને લીધે, આપણે આ જગતમાં રહેલા બધા જીવ 'હું શરીર છું' (અથવા આ શરીરને ઓળખવા માટે નામ આપ્યુ છે) ની ખોટી અથવા ભ્રાંતિપૂર્ણ દ્રષ્ટિ સાથે જીવીએ છીએ. જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે અજ્ઞાનતાના આવરણો ને ભેદીને 'સુદર્શન' અર્થાત સાચી સમજણ પ્રગટ થાય છે.

જો કે, આ જ દ્રષ્ટિને કારણે, શ્રી કૃષ્ણ ઘણી બધી રાણીઓ, સમૃદ્ધ અને રાજવી જીવન હોવા છતાં તમામ સંસારી માયાજાળથી નિર્લેપ રહ્યા હતા. સાંસારિક બાબતોમાં સ્થૂળરૂપે તેઓ કાર્યરત હોવા છતાં, આંતરિક રીતે તેઓ સતત જાગૃત હતા કે, “શરીર જુદું છે અને હું શુદ્ધાત્મા છું. હું કર્તા નથી.”કર્મના નિયમ પ્રમાણે તેમના સ્થૂળ ભાગમાં કંઈ જ ફેરફાર થઇ શકે એમ ના હતો અને કર્મનું ફળ તેમને ભોગવ્યે જ છુટકો હતો; તેમના કર્મફળ પરિણામે સંસારી સુખ-સાધનો અને ઘણી પત્નીઓ હોવા છતાં, તે નિરંતર "હું શુદ્ધ આત્મા છું." ની જાગૃતિમાં રહ્યા.

યોગેશ્વર કૃષ્ણ તેમના આગામી જન્મમાં તીર્થંકર તરીકે પાછા આવશે અને લાખો-કરોડો લોકો સમ્યક દ્રષ્ટિ (સાચી દ્રષ્ટિ)ની સમજણ પ્રાપ્ત કરાવશે અને તેમને મુક્તિ (મોક્ષ માર્ગ) તરફ દોરી જશે.

ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાની આદર્શ રીત

krishna

ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના વિવિધ લોકો દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપે કરવામાં આવે છે. કેટલાક શ્રી કૃષ્ણના નામનો જાપ કરીને ભગવાનની ઉપાસના કરે છે, કેટલાક ખાસ દિવસોમાં વ્રત રાખે છે અને ભગવાનની અર્ચના કરે છે. વગેરે... પરંતુ શ્રી કૃષ્ણની ઉપાસનાનો આદર્શ માર્ગ એ છે કે તેમનું વાસ્તવિક સ્વરૂપ જાણીને, પછી તેમની ભજના કરવી.

ભગવાન પ્રત્યેની નિષ્ઠા નિશ્ચિતરૂપે વ્યક્તિને ભગવાનની નજીક પહોંચવામાં મદદ કરશે, પરંતુ તેમનું સાચું સ્વરૂપ અને તેમણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તેની સમજણ આપણને ખૂબ મદદરૂપ થશે અને તે જ શ્રી કૃષ્ણની ઉપાસનાનો અંતિમ માર્ગ છે.

ભગવાન શ્રી કૃષ્ણ વિશેની હકીકતો

કાલિયાદામન:

પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ !

krishna

ગોવર્ધન પર્વતને ઉપાડવું:

પ્રશ્ન એ ઉભો થાય છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે આંગળીના ટેરવે પર્વત ઉપાડી શકે છે! અને જો ભગવાન શ્રી કૃષ્ણ તે તેમની આંગળી પર લઇ શકે છે, તો પછી તેમણે હિમાલય કેમ ન ઉપાડ્યું? અને જો તે આવા અતુલ્ય પરાક્રમો કરી શકે, તો પછી તે એક જ તીરથી કેમ મરી ગયા? પરંતુ વાસ્તવિકતામાં આ એવું નથી. આ બધી ફક્ત વિવિધ ઘટના છે, જે બની હતી, પરંતુ જો તે યોગ્ય રીતે અર્થઘટન કરવામાં આવે તો જ તે ફળદાઈ થઇ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ "ગોવર્ધન" ને અમલ કર્યું - ગાયોનો અદ્ભુત રીતે પ્રચાર, કારણ કે તે દરમિયાન, ભારે હિંસા થઈ રહી હતી.

ભારતમાં લોકો તેમના જીવનનિર્વાહ માટે સ્થાનિક પ્રાણીઓ પર આધાર રાખે છે. ભગવાન કૃષ્ણનો ઉદ્દેશ આ પ્રાણીઓનું રક્ષણ અને તેમની વસ્તી વધારવાનો હતો અને તેથી તેમણે ગાય માટે ગોશાળાની સ્થાપના કરી, જેના પરિણામે ડેરી (દુગ્ધાલય) ઉત્પાદનમાં વધારો થયો. તેથી પ્રતીકરૂપ થયું કારણ કે, આ સર્વે તેમણે એકલા હાથે કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગાય માટે ગોશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

સ્વધર્મ - પરધર્મ:

krishna

આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજયા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'પરધર્મ ભયાવહ,' એટલે લોક સમજયા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકુય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.'

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, “'પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય”.

‘ગીતા'નો સાર

મહાભારતના મહાયુદ્ધ પૂર્વે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, "અર્જુન, તમે લાંબા સમયથી મારી સાથે રહ્યા, પણ તેમ છતાં તમે મને સાચા અર્થમાં નથી ઓળખતા.” તમે જે સ્વરૂપ જોઈ રહ્યા છો એ વાસ્તવિકમાં હું નથી; તમે જે જુઓ છો તે સ્થૂળ શરીર છે. હું આ શરીરથી અલગ છું. હું શુદ્ધાત્મા છું. તમે પણ શુદ્ધાત્મા છો. તમારા ભાઈઓ, કાકાઓ, ગુરુઓ અને મિત્રો કે જેમની સાથે તમે લડવાની તૈયારીમાં છો, તે પણ શુદ્ધાત્મા જ છે. આ (લડવું) તમારું ભાગ્ય (કર્મ) છે, તેથી તમારે આત્માની આ જાગૃતિ સાથે તેને આગળ વધારવું પડશે, જો તમે આ જાગૃતિમાં રહેશો અને યુદ્ધ લડશો, તો તમે કોઈ નવા કર્મો બાંધશો નહીં અને તમારા બાકી રહેલા કર્મોનો ક્ષય થઇ જશે. આ તમને અંતિમ મુક્તિ (મોક્ષ) તરફ દોરી જશે. "

krishna

વિરાટ પુરુષના દર્શન એટલે જ્ઞાનીની ઓળખાણ થઇ કહેવાય. વાસ્તવિકતામાં, સાચા વિરાટ કોને કહી શકાય? તે કોઈ છે જે આપણા અહંકારને લઇ શકે છે. જેણે અહંકારના ટુકડા કરી નાખ્યા છે, તેને વિરાટ કહે છે! અને તેનું પરિણામ શું છે? તે આપણને પણ વિરાટ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે! વિરાટ સ્વરૂપને લોકો આદરપૂર્વક નમન કરે છે. અર્જુને કૃષ્ણ ભગવાન સમક્ષ સમર્પણ કર્યું, તે પછી જ કૃષ્ણ ભગવાને અર્જુનને તેમના વિરાટ સ્વરુપના દર્શન કરાવ્યા!

આમ અર્જુન, શ્રી કૃષ્ણએ આપેલા જ્ઞાનમાં જાગૃત રહ્યા. તેમણે ઘણા મહાપુરૂષોનો યુદ્ધમાં નાશ કર્યો હતો પરંતુ તે છતા પણ એક નવું કર્મ બંધાયું નહીં અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્તિ કરી.

અક્રમ વિજ્ઞાનના માર્ગે જ્ઞાની પુરુષ

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, "મોક્ષ માર્ગ મેળવવો અત્યંત દુર્લભ છે, પરંતુ જો કોઈ જ્ઞાનીપુરુષને મળે, તો તે ખિચડી બનાવવા કરતાં પણ અતિ અતિ સરળ બની જાય છે."

ભગવાન કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તે જ જ્ઞાન અક્રમ વિજ્ઞાન માર્ગ થકી જ્ઞાની પુરુષ આપણને અહીં આપે છે. જ્ઞાની પુરુષ આપણા ગત ભવના કર્મો (પાપ)ને નાશ કરે છે અને આપણને સાચી દ્રષ્ટિ આપે છે જે આપણામાં કાયમ માટે સ્થાપિત થાય છે જેથી આપણે દરેકમાં આત્મા (શુદ્ધાત્મા) જોવાનું શરૂ કરીએ! (આત્મવત્ સર્વ ભૂતેષુ)!

તેઓ આપણને આત્માની જાગૃતિ આપે છે! આ રીતે, આપણે ભગવદ્ ગીતામાં યોગેશ્વર ભગવાન કૃષ્ણ દ્વારા વર્ણવેલ સ્વધર્મ (આત્મ ધર્મ - શુદ્ધાત્મા) માં આવે છે, જ્યારે શરીર ભૌતિકવાદી વિશ્વમાં ફરજ (સંસારિક ધર્મ) પરિપૂર્ણ કરે છે. તેથી, ચાલો આપણે તેમની પ્રત્યક્ષ હાજરીમાં કામ કાઢી લઈએ !!!

krishna

ચાલો નીચે આપેલા વાર્તાલાપથી ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી અર્જુનને આધ્ય્તામિક દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થઈ તે વિશે વધુ જાણીએ…

પ્રશ્નકર્તા :કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું ?

દાદાશ્રી: ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, 'તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.'

હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડયા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો.

પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. "અર્જુન, તમે લાંબા સમયથી મારી સાથે રહ્યા, પણ તેમ છતાં તમે મને સાચા અર્થમાં નથી ઓળખતા.” જે તમેં જોવો છો એ વાસ્તવિકમાં હું નથી; તમે જે જુઓ છો તે શારીરિક શરીર છે. હું આ શરીરથી અલગ છું. હું શુદ્ધાત્મા છું. તમે પણ શુદ્ધાત્મા છો. તમારા ભાઈઓ, કાકાઓ, ગુરુઓ અને મિત્રો કે જેમની સાથે તમે લડવાની તૈયારીમાં છો, તે પણ શુદ્ધાત્મા જ છે. આ (લડવું) તમારું ભાગ્ય (કર્મ) છે, તેથી તમારે આત્માની આ જાગૃતિ સાથે તેને આગળ વધારવું પડશે, જો તમે આ જાગૃતિમાં રહેશો અને યુદ્ધ લડશો, તો તમે કોઈ નવા કર્મો બાંધશો નહીં અને બાકી રહેલા કર્મોનો ક્ષય થઇ જશે. અંતે આ મોક્ષના તરફ લઇ જશે."

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી અર્જુને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને પરિણામે તેણે મહાભારતનું આખું યુદ્ધ લડ્યું, ઘણા મહાપુરૂષોની હત્યા કરી; છતાં તેણે એક કર્મ (નિષ્કામ કર્મ) બંધન ન થયું, કેમ કે અર્જુને પોતાની ફરજો પોતાની સંસારિક ભૂમિકામાં પૂર્ણ કરી હતી. કારણ કે, તેઓ પોતાની અંતર શાંતિ અને પૂર્ણ શુદ્ધાત્માની જાગૃતિમાં પોતાના સ્વધર્મ પદમાં હતા.

આ જ રીતે, તેઓએ એ જ ભવમાં મોક્ષની પ્રાપ્ત કરી.

×
Share on