પોઝિટિવ પેરેંટિંગ: મા-બાપ છોકરાનો વ્યવહાર.

જ્યારે પારિવારિક જીવનની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ કેવો આદર્શ બની શકે છે, તે શોધવાનો પ્રયત્ન કરે છે. પોઝીટિવ પેરેંટિંગ માટેની ચાવીઓ શિસ્ત અને સારા નૈતિક મૂલ્યોવાળા બાળકોને ઉછેરવા માટે સારી રીતે કાર્ય કરે છે અને તે દરેક માતાપિતાનું સ્વપ્ન હોય છે. જો કે, તે સરળતાથી થઈ શકતું નથી. અને તે જાણવું અગત્યનું છે કે માતાપિતા અને બાળકો વચ્ચેનો સંબંધ એક દ્વીમાર્ગી (બે પક્ષીય) જેવો છે, બીજા શબ્દોમાં કહીએ તો, ખરેખર એને જ માતાપિતા અને તેમના બાળકો વચ્ચે ભાગીદારી કહેવાય.

બગીચો ક્યારે કહેવાય જ્યારે જુદા જુદા ફૂલો એના રંગો અને સુહાસ સાથે ખીલેલા હોય! એ જ રીતે, જો માતાપિતા ને 'માળી કેવી રીતે બનવું' એ આવડી જાય, અને તેઓ તેમના બાળકના વ્યક્તિત્વને ઓળખી શકે અને તેને પોષણ આપે, તો પછી તેમનો 'બગીચો' સુગંધિત થઈ ખીલી ઉઠશે! હકારાત્મક પેરેંટિંગ માં આ બધી જ વાતો પ્રસ્તુત કરવામાં આવે છે!

જ્યારે માતાપિતા તેમની અસરકારક કુશળતા વિકસિત કરે છે, ત્યારે તેઓ બંને પેઢી વચ્ચે ના અંતરને ભરવામાં પહેલ કરી શકે છે. જ્યારે માતા-પિતા ને સાચી સમજ મળી જાય કે ક્યાં સીમાઓ રાખવી, ક્યાં પ્રોત્સાહન આપવું, અને ક્યાં ઠપકો આપવો, તો પછી તેમના બાળકો અવળે માર્ગે ન ચડે. આ રીતે તેઓ સારા માતાપિતા બને છે. જ્યારે લોકો સારા માતાપિતા કેવી રીતે બનવું તે જાણતા નથી, ત્યારે બંને પેઢી વચ્ચે અંતર વધ્યા કરે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, "દરેક યુવાન આખી દુનિયાને મદદ કરવાની સંભવિત શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે".

યોગ્ય સમજણથી, યુવાનો પણ તેમના માતાપિતા સાથેના સંબંધોને વધુ મજબૂત કરી શકે છે.

આજના યુવાનોની સાચી અને સંપૂર્ણ સમજણ આપવાના હેતુથી પરમ પૂજ્ય દાદા ભગવાનએ બાળકને કેવી રીતે ઉછેરવું તે અંગેની સાચી સમજણ આપણા સમક્ષ પ્રરૂપિત કરી છે. યુવાન અને બાળકોને શુદ્ધ પ્રેમ અને સમાનતા સાથે ઉછેરવા, જેથી તેઓ જીવનના તમામ ક્ષેત્રોમાં ખીલી શકે. દાદા ભગવાને સકારાત્મક પેરેંટિંગ સોલ્યુશન્સ આપ્યું છે જેથી કિશોરાવસ્થા દરમિયાન પણ બાળકોને નૈતિક મૂલ્યો, સારા મુલ્યો અને સારા સંસ્કાર થી ઉછેરી શકાય.

આ અસરકારક પેરેંટિંગ ટીપ્સનો ઉપયોગ કરીને વધુ સારા માતાપિતા બનવા વિશેની સ્પષ્ટ સમજ મેળવવા માટે આગળ વાંચો.

ઘર એક બગીચો

આપણું ઘર એક બગીચો છે. કઈ રીતે માળી બનીને ઘરરૂપી બગીચાને ખીલવી, બાળકોમાં પ્રેમ અને સંસ્કાર સિંચીએ?

play
previous
next

Top Questions & Answers

  1. Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?

    A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More

  2. Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?

    A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એક વાલી તરીકે, તમારે... Read More

  3. Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?

    A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More

  4. Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?

    A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More

  5. Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?

    A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે,... Read More

  6. Q. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?

    A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્‍ટિંગ કળા છે. બાળકને... Read More

  7. Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?

    A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More

  8. Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?

    A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે... Read More

  9. Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?

    A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ.... Read More

  10. Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?

    A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More

  11. Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?

    A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More

  12. Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?

    A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More

  13. Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?

    A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More

  14. Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?

    A. સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા... Read More

  15. Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?

    A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More

  16. Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?

    A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More

Spiritual Quotes

  1. આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
  2. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધ-ઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે.
  3. મારવાથી જગત ના સુધરે, વડાવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું ગાંડપણ.
  4. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !
  5. પોતાના સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરી અને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે.
  6. છોકરાંઓ માટે સારી ભાવના જ કર્યા કરોને. એ બધા સંજોગો ભેગા થઈ જશે. બાકી આ છોકરાંઓમાં કશું વળે એવું નથી. છોકરાં વળશે, પણ તે એની મેળે કુદરત વાળશે.
  7. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછાં આવે છે.
  8. મા-બાપ છોકરાઓને પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો.
  9. તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ.
  10. મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, 'ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?' તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય.

Related Books

×
Share on