પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે?
પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું કામ આ ૨૮ વર્ષની ઉંમરે મારી પાસેથી એણે છીનવી લીધી, એની કોઈ જાણ નથી. મને એમ થાય છે કે આ ભગવાન આવું શું કામ કરે છે?
દાદાશ્રી: એવું છે, લોખંડને મૂળ સ્વભાવમાં લાવવું હોય તો ઉપર કાટ કાઢવા માટે ગરમ કરવું પડે છે, પછી ઠોકવું પડે કે ના ઠોકવું પડે?
પ્રશ્નકર્તા: સાફસુફી કરવી પડે.
દાદાશ્રી: એવું મનુષ્યનાં ઉપર છે તે આ બધો માર પડે છે ને, તે ચોખ્ખો કરે છે. સમજાય છે ને? નહીં તો આ તમારી પત્ની જીવતી હોય અને એમને એમ તમારે ચાલ્યા કરે, તો તમે કંઈ દવા-બવા કરો નહીં.
પ્રશ્નકર્તા: એ તો ખરું કહ્યું, દાદાજી. જ્યારે એ હતીને ત્યારે હં વાંચતોય બધું નાસ્તિક ને લખાણ લખતોય નાસ્તિક. એટલે લાયબ્રેરીમાં ધાર્મિક પુસ્તક હાથમાં આવે ને ત્યારે ફેંકી દેતો'તો કે આ વચ્ચે ક્યાં આવે છે. એ બધી ખોટી ઝંઝટ છે.
દાદાશ્રી: તમે તો કોઈ દવા કરો નહીં ને રોગ રહી જાય. રોગ વધતો જાય. આ તો તમારી દવા થઈ રહી છે.
પ્રશ્નકર્તા: પણ હું ધાર્મિક ન્હોતો છતાંય એ પરિસ્થિતિમાં હું આટલો અશાંત ન્હોતો, જેટલો અત્યારે છું.
દાદાશ્રી: અશાંત ન્હોતાં પણ તો યે દુઃખ તો થયાં જ કરે ને, મતભેદ પડે તો! એની જોડે કોઈ દા'ડો મતભેદ તો પડ્યો હશે ને?
પ્રશ્નકર્તા: બહુ જવલ્લે, ક્યારેક બન્યું હશે ને એ એકાદ-બે દિવસથી વધારે નહીં ચાલ્યું હોય.
દાદાશ્રી: હા, પણ વસ્તુસ્થિતિમાં એમ છે. આ કંઈક અમથો કાગળ આવે ને, કે ભઈ, તમે આમ કર્યું છે, તોય અસર થાય. દરેક વસ્તુની અસરો થાય. આ આખું શરીર ઈફેક્ટિવ છે.
પ્રશ્નકર્તા: એ વખતે દાદા, મારો એપ્રોચ એવો રહેતો'તો ને કે ધારોકે ગમે તે મુશ્કેલી આવે કે કંઈપણ આવે ને, તો I was able to get through it. હું એને પાર કરી જઈશ. એટલે એ કોન્ફીડન્સ (આત્મવિશ્વાસ) જેને કદાચ મારો ઈગો (અહંકાર) જ કહેવાય, એ ઈગો જ છે. અને હું સહેજપણ અશાંતિ, આવી કોઈ દ્વિધા કે એવું કશું ન્હોતો અનુભવતો, ઓલરાઈટ. હું એમાંથી નીકળવાનો જ છું અને દુનિયાની પેલી ભૌતિક મુશ્કેલીઓ આ તે, જે કંઈ આવે એમાંથી નીકળ્યા ખરું, પણ અહીં આગળ માર ખાઈ ગયો.
દાદાશ્રી: આ જે જીવન જીવાય છે, એમાં બે જાતનાં રિઝલ્ટ (પરિણામ) હોય છે. જ્યારે પોઝિટિવ રિઝલ્ટ હોય છે, ત્યારે તમારા ધારેલા પ્રમાણે બધું થયા કરે. ઊંધું નાખો તોય છતું થાય.
એટલે તમને બધા એવિડન્સ મળ્યા જ કરે. સંજોગો ભેગા થયા કરે, તમારી ઈચ્છાપૂર્વકનાં. પણ જ્યારે નેગેટિવ આવે, તે ઘડીએ તમારી ઈચ્છાથી અવળું જ પડે બધું. તે આ પોઝિટિવ-નેગેટિવ બે શક્તિઓ કામ કરી રહી છે. તમારે એ બે શક્તિઓને વશ રહેવું પડે.
Reference: દાદાવાણી Sep 2009 (Page #2 - Paragraph #1 to #13)
પોઝિટિવ-નેગેટિવની અસરો
પ્રશ્નકર્તા: આપણે આત્મા છીએ, મૂળભૂત રીતે આત્મા સ્વરૂપ હોઈએ તો આ નેગેટિવ ને પોઝિટિવ શક્તિઓને આપણે કંઈ કહેતાં નથી તો આપણને એ કેમ હેરાન કરે છે?
દાદાશ્રી: પણ મૂળ રૂપે આત્મસ્વરૂપ થાય, તો પછી પોઝિટિવ-નેગેટિવ શક્તિઓ તમને અડે નહીં. પછી અસર ના કરે. પણ અત્યારે મૂળરૂપે આત્મસ્વરૂપ હજુ થયાં નથી ને!
પ્રશ્નકર્તા: આ પોઝિટિવ-નેગેટિવ જે થાય છે, એ ભ્રમ છે ને કે અહંકારને લીધે થાય છે?
દાદાશ્રી: ના, એ ભ્રમ નથી, સાચી વાત છે. આપણા ધાર્યા પ્રમાણે બધું જ થયા કરે, આપણે જે જે ધારીએ ને તે બધું જ થયા કરે, ઊંધું નાખીએ તોય છતું થાય, એવું એ પોઝિટિવનો સ્વભાવ છે અને બીજો ટાઈમ, એવો નેગેટિવનો ટાઈમ આવ્યો કે બધું નાખીએ તોય, છતું નાખીએ તોયે ઊંધું પડે બધું.
Reference: દાદાવાણી Sep 2009 (Page #2 - Paragraph #14 & #15, Page #3 - Paragraph #1 to #3)
ખરો કર્તા કોણ છે એની અજ્ઞાનતાના કારણે નકારાત્મક વસ્તુઓ આપણને દુઃખ આપે છે. અહીં વાંચો અને શોધો જગત કોણ ચલાવે છે અને કર્તા કોણ છે.
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા... Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા... Read More
Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી... Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ... Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય... Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ... Read More
Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો... Read More
Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે... Read More
subscribe your email for our latest news and events