લગ્નજીવનના ક્લેશોનું સમાધાન કરીને સુખી લગ્નજીવન જીવવું

શા માટે લોકો લગ્ન કરે છે? તેઓ એવું કરે છે કારણ કે તેઓ જીવન પર્યંતના સાથીની શોધમાં હોય છે, જેના દ્વારા તેઓ તેમના જીવનને પ્રેમ અને સુખથી ભરી શકે છે.

જો કે, સુખી લગ્ન જીવન જીવવા માટે, તમારા જીવન સાથી જેવા છે તેવા તેમને સ્વીકારવા જરૂરી છે. દરેક પાસે જૂદી માન્યતાઓ, વિચારસરણીઓ, અભિપ્રાયો અને દ્રષ્ટિકોણો હોય છે. તેથી તે સ્વાભાવિક છે કે કોઇ પણ બે વ્યક્તિ એક સરખું વિચારી ન શકે. માટે, આપણે કહી શકીએ કે લગ્ન એ બે જૂદી જૂદી માન્યતાઓ અને વિચારસરણીઓનું જોડાણ છે. આ ભિન્ન વિચારસરણીઓને કારણે, જીવનની જૂદી જૂદી બાબતોમાં તેઓ જૂદી રીતે વર્તે છે. આ ભિન્નતા લગ્નજીવનમાં ક્લેશ ઊભો કરે છે, આમ, દુ:ખી લગ્નજીવન પરિણમે છે.

આ ભિન્નતા હોવા છતાં, શું સુખી લગ્ન જીવન જીવવું શક્ય છે ખરૂ? કઈ રીતે તમે લગ્ન જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો અને સંવાદી લગ્ન જીવન બનાવી શકો? શું તમારે તમારા જીવનસાથીની ભૂલો બતાવવી જોઇએ? કે પછી મૌન એ જ ઉપાય છે?

પરમ પૂજ્ય દાદાશ્રીએ આ પ્રશ્નોના જવાબો આપ્યા છે અને કઈ રીતે લગ્ન શાંતિમય બનાવી શકાય તે માટે લગ્ન જીવનમાં ઊભા થતા કોઇપણ જાતના ક્લેશનું સમાધાન થઇ શકે તે માટેની વ્યવહારૂ સલાહો દર્શાવી છે. કઈ રીતે લગ્ન જીવન યોગ્ય બનાવી શકાય તે માટેની તેમની ટિપ્સનો ઉપયોગ કરીએ તો, ક્યારેય પણ પતિ અને પત્ની વચ્ચે લગ્ન જીવનમાં મતભેદ થઇ શકે નહિ.

તેઓએ કેટલીક સફળ લગ્ન જીવન માટેની ટિપ્સ, અને સાદા સમાધાનો આપણી સમક્ષ રજૂ કરેલ છે, જે લગ્ન જીવનમાં થતા મતભેદને અટકાવવામાં મદદ કરે અને તમારા લગ્ન જીવનને કઈ રીતે બચાવી શકાય અને કઈ રીતે છુટાછેડાને થતા અટકાવી શકાય તે શીખવે છે. તેઓએ અક્રમવિજ્ઞાનનો રસ્તો પણ ખુલ્લો કરેલ છે જેનાથી વ્યક્તિ લગ્ન જીવનની સાથોસાથ પણ શાશ્વત આનંદ અને સુખનો અનુભવ કરી શકે છે.

કઈ રીતે સુખી લગ્ન જીવન જીવી શકાય તેના વિગતવાર સમાધાન માટે અને લગ્ન જીવન માટેની ટિપ્સ જાણવા માટે, આગળ વાંચો:

શું સુખી લગ્નજીવન શક્ય છે?

શું સુખી લગ્નજીવન શક્ય છે ? આવો જાણીએ પરિણીતોનું વિવાહિત જીવન પર શું કહેવું છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. સુખી લગ્નજીવન કેવી રીતે કરવું ?

    A. પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું... Read More

  2. Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?

    A. જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન... Read More

  3. Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?

    A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને... Read More

  4. Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો

    A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More

  5. Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો

    A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More

  6. Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?

    A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ... Read More

  7. Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?

    A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ.... Read More

  8. Q. લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?

    A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More

  9. Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?

    A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો... Read More

  10. Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?

    A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ... Read More

  11. Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર

    A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા... Read More

  12. Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?

    A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે... Read More

  13. Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?

    A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે... Read More

Spiritual Quotes

  1.  હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે.
  2. ધણીપણું અને ધણિયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને 'કમ્પેનિયન' કહે તો આસક્તિ ઓછી થઈ જાય.
  3. જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે.
  4. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે.
  5. એ ભોગવવાનું છે, ભોગવટો છે આ, પાર્ટનરશીપ છે. વાઈફ જોડે પાર્ટનરશીપ છે, માલિકીપણું નથી.
  6. ધણી તો કેવો હોય? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય.
  7. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયા છે !
  8. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે.
  9. આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે.
  10.  'જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા ! 

Related Books

×
Share on