Related Questions

શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?

એવી ધાર્મિક માન્યતા છે કે:

'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કરતાં અને મહેશ વિનાશ કરનાર છે.’

તો ખરેખર હકીકત શું છે? શું જગત ખરેખર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બનાવ્યું છે?

ખરેખર, આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પ્રકૃતિના ત્રણ ગુણને નામ (રૂપક) આપ્યા છે, કે જે દરેક વ્યકિતની મહી હોય છે:

  1. પિત્ત (બાઈલ જ્યુસ) શરીરમાં સાત્વિક પ્રકૃતિ (ગુણો) લાવે છે (સદગુણ, રીલેટીવ જાગૃતિ),
  2. વાયુ જે રજસ પ્રકૃતિ માટે જવાબદાર છે (જુસ્સો, ઈચ્છા), અને
  3. કફ કે જે તમસ પ્રકૃતિ માં પરિણમે છે (અંધકાર, રીલેટીવ અજાગૃતિ, આળસ).

દરેક વ્યક્તિની પ્રકૃતિ હોય છે અને પ્રકૃતિ જડ પરમાણુની બનેલી છે.

મૂળ જડ પરમાણુ નો સ્વભાવ પરમેનેન્ટ છે, જ્યારે પ્રકૃતિ ના પર્યાય દરેક ક્ષણે ઊભા થાય છે અને મરે છે (ક્ષય) થાય છે. પર્યાય નિરંતર ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે. એવીજ રીતે, જીવમાત્રમાં આત્મા શાશ્વત (અવિનાશી) તત્વ છે, જ્યારે આત્માના પર્યાય નિરંતર ઉત્પન્ન થાય છે અને વિનાશ થાય છે.

વીતરાગોએ સનાતન તત્વોનાં ગુણો ઉત્પાદ્, વ્યય ને ધ્રૌવ-એમાં ઉત્પન્ન થવું ને વિનાશ થવું એ વસ્તુના પર્યાયોનું અને સ્થિર રહેવું, એ વસ્તુના ગુણને કહ્યું. જેના સ્થૂળ રૂપકોમાં લોકોએ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ માન્યાને તેમની મૂર્તિઓ મૂકી : 

  1. બ્રહ્મા એવી સ્થિતિ માટે કહેવાયું છે કે જ્યાં સર્જન (ઉત્પન્ન) થાય છે કે જેમાં પર્યાય ઉત્પન્ન થાય છે.
  2. વિષ્ણુ એવી સ્થિતિ માટે મુકાયું છે કે જેમાં સ્થિર કે હમેંશા રહે છે.
  3. અને જ્યારે વિનાશ થાય છે ત્યાં મહેશ મુકાયુ છે.

 આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.

આ ગોઠવણી એકદમ સાયન્ટિફિક અને ગુહ્ય છે. તેનું આ લોકોએ રૂપક મૂકેલું આપણને સરળતાથી સમજાય તે માટે. એ શોધખોળ માનોને ! સારું કરવા ગયા, પણ પછી બહુ દહાડે તો અવળું જ થઈ જાય ને કે ના થઈ જાય ? એટલે પછી તેમની મૂર્તિઓ મૂકી લોકોએ એટલું જ નહીં પણ તેમની જ ભજન કરવા લાગ્યા!!

જરા વિચાર તો કરો ...

હવે બ્રહ્મા ખોળવા જઈએ તો ક્યાં મળે ? દુનિયામાં કોઈ જગ્યાએ મળે ? ના.

અને વિષ્ણુ ખોળી આવે, તો વિષ્ણુ જડે ? ના. 

અને મહેશ્વર ? ના મળે. 

ઉપર આકાશમાં કે સ્વર્ગ માં કોઈ બાપોય નથી, જગત ને ચલાવનાર. નથી બ્રહ્મા નામનો કોઈ ઊભો થયો, નથી વિષ્ણુ નામનો કોઈ ઊભો થયો, નથી શિવ નામનો કોઈ થયો. 

જો આ જગત ખરેખર ભગવાનનું બનાવેલું હોટ તો શું એ બધી બાબતોમાં સંપૂર્ણ અને નિરંતર સુંદર ના હોવું જોઈએ?  

પરંતુ એવું નથી ... 

આ જગતની વિકૃત બાજુ પણ છે! ત્યાં ચિંતાઓ, ડર, આફતો, આંસુઓ, બીમારીઓ, પીડા, વેદના અને એન્ડલેસ (અનંત) ભોગવટાઓ આખા જગતમાં છે.  

આપણે ભગવાનને આવા જગતના સર્જનહાર ‘ક્રીએટર’ કહીને, તેમણે આપણે ચિંતા અને આફતોના ‘ક્રીએટર’ પણ બનાવીએ છીએ. અજાણતા જ આપણે આ જગતમાં જેટલી પણ (વેદના) પીડા જોઈએ છીએ તેના જવાબદાર (રીસ્પોં સીબલ) ભગવાનને ઠરાવીએ છીએ. ભગવાને આવું જગત શા માટે બનાવવું જોઈએ અને સહાય માટે આવડી મોટી ગંભીર જવાબદારી લેવી જોઈએ?

ખરી રીતે તો, આ જગતનો કોઈ ક્રીએટર જ નથી ! 

આ બધી જ કુદરતી રચના છે; જે કોઈ ના બનાવ્યા સિવાય બની છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !  

અજ્ઞાનતા થી આપણે સંખ્યાબંધ રોંગ બિલિફોને પોષણ આપ્યું છે. (ઊભી કરી છે). પણ જેવા આપણે આધ્યાત્મ તરફ વળીએ છીએ તો, જગતની ખરી વાસ્તવિકતા સમજવાનું શરૂ કરીએ છીએ.  

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on