અથડામણ ટાળો: ક્લેશ રહિત જીવન જીવવા માટેની સૌથી સરળ ચાવી

“અથડામણ ટાળો”

આ ક્લેશ નિવારવા માટેની સૌથી સરળ રીત છે. જો આ ચાવીને આપણા રોજિંદા જીવનમાં અપનાવવામાં આવે તો આપણું જીવન અપાર શાંતિમય અને સંવાદિતાથી ભરપુર થઇ જશે.

ચાલો, આપણે નીચેની ૨ જુદી – જુદી પરિસ્થિતિઓમાં કઇ રીતે વ્યવહાર કરવો તે સમજીએ અને ક્લેશ નિવારવા માટે આપણે આ ચાવીનો કઇ રીતે ઉપયોગ કરવો તે સમજીએ. 

પરિસ્થિતિ ૧ : જ્યારે તમારે કોઇ સાથે મતભેદ થાય ત્યારે: 

જો તમારું માથું ભીંત સાથે અથડાય તો તમને ઇજા (દુઃખ) થશે, પરંતુ ભીંતને કશું નહિ થાય. એ જ રીતે જો તમે કોઇ સાથે તકરાર/મતભેદ કરો છો તો તમે જ ક્લેશનું સર્જન કરો છો પરિણામે તમને જ નુકસાન થશે. 

પરિસ્થિતિ ૨ : જ્યારે કોઇ તમારી સાથે મતભેદ કરે ત્યારે:

જ્યારે કોઇ ભુરાયો થયેલો બળદિયો તમારી સામે આવે છે, ત્યારે ભલે ને તમે મોટા રાજા હોવ છતાં તમારે જ દૂર ખસી જવું પડે છે ને! નહીં તો તમને જ ઇજા થશે. આ જ રીતે જ્યારે તમારી સાથે કોઇ મતભેદ કરે ત્યારે તમારે જ ખસી જવું જોઇએ, અથડામણ નિવારવા, જેથી દુ:ખી થવામાંથી બચી જશો.

નીચે આપવામાં આવેલ પુસ્તકમાંની અથડામણ ટાળવા માટેની ચાવી રોજિંદા જીવનમાં અપનાવીશું તો જરૂરથી ક્લેશ રહિત જીવન માણી શકીશું. પરમ પુજ્ય દાદાશ્રીએ અથડામણ થવા પાછળના અને તેને નિવારવાના વિજ્ઞાનને ખુલ્લુ કર્યુ છે, જે આપણે અહીં વાંચીશું.

અથડામણ ટાળો

કોઈને દુઃખ આપવું અને પોતે દુ:ખી થવું એ અથડામણ છે. એકબીજા માટેના નેગેટીવ અભિપ્રાયો એ પણ એક માનસિક અથડામણ છે. રોજબરોજના જીવનમાં અથડામણ વગર જીવન કેવી રીતે જીવવું એની અદભૂત સમજણ.

play
previous
next

Top Questions & Answers

  1. Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?

    A. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ધારો કે તમે રસ્તા પર ચાલી... Read More

  2. Q. મતભેદ થવાના કારણો શું છે?

    A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More

  3. Q. અથડામણના પરિણામો શું છે?

    A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More

  4. Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?

    A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More

  5. Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?

    A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે... Read More

  6. Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?

    A. જ્યારે કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઇએ? એક બાજુ એક... Read More

  7. Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?

    A. જો કોઇ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછશો કે શા માટે તે આવું કરે છે અને... Read More

  8. Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?

    A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઇએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More

  9. Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?

    A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે :  જ્યારે તમારો બોસ તમને... Read More

  10. Q. ક્લેશ નિવારવાની સચોટ ચાવી

    A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઇ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે, જો કે, અથડામણ નિવારવા... Read More

Spiritual Quotes

  1. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં.
  2. ક્લેશ થાય છે, કારણકે આપણે આપણા પોતાના કાયદા અને સમજણના આધારે ચાલીએ છીએ.
  3. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે.
  4. કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે તો 'કૉમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કૉમનસેન્સ' જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાના ઘર્ષણથી આપણામાં 'કૉમનસેન્સ' ઉત્પન્ન થાય.
  5. મતભેદ એ અથડામણ છે, અને અથડામણ એ "નબળાઈ" છે.
  6. આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી.
  7. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. ભગવાનને ત્યાં   દ્વંદ્વ જ હોતો નથી ને !
  8. ઘર્ષણ એ પ્રગતિ છે. જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચઢવાનો રસ્તો મળે.
  9. જ્યાં ને ત્યાં અથડામણ સામે આવે તો તેને ટાળજો. જીવન નિષ્કલેશમય જશે ને મોક્ષ થશે.
  10. સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય કોઈ ની સાથે તો તેની બહુ કિંમત છે. ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.

Related Books

×
Share on