Related Questions

કર્મ શું છે?

પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. 'હું કરું છું' એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. 'હું કરતો નથી' અને 'કોણ કરે છે' એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય.

karma

પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એટલે શું ?

દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલે કે 'તું ચોર છે.' એટલે વાવ શું બોલે ?

પ્રશ્નકર્તા : 'તું ચોર છે.' એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે.

દાદાશ્રી : બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે 'તું બાદશાહ છે.' એટલે એ તને 'બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિદ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉક્ટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન. રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં.

એ વાવ શું કહેશે ? તે આ જગત બધું આપણો જ પ્રોજેક્ટ છે. જે તમે કર્મ કહેતા'તાને, એ પ્રોજેક્ટ છે.

પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત ખરો કે નહીં ?

દાદાશ્રી : આખું જગત કર્મનો સિદ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી. 

×
Share on