પ્રેમની પરિભાષા
કોઈની પ્રત્યે આકર્ષણ થાય એને પ્રેમ ના કહેવાય એ આસક્તિ કહેવાય. રીયલ પ્રેમ એ શુદ્ધપ્રેમ છે, પરમાત્મા પ્રેમ છે, જે પ્રેમમાં કંઈ પણ મેળવવાની ભાવના નથી, કંઈ જોઈતું નથી. તો મેળવો સમજણ સાચા પ્રેમની.
પ્રેમમાં કોઈ દહાડો ય આખી જીંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? 'તું આવી ને તું આવો !" પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.
વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય.
વ્યવહારમાય બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે, બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો !
એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે 'ઓહોહો, સરસ થયો છોડવો'. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?
જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયોનથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા.
Q. શું તમારા ઘરમાં સાચો પ્રેમ પ્રવર્તે છે?
A. ઘરનાં જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે,... Read More
Q. વ્યવહારમાં માનો પ્રેમ શા માટે ઉત્કૃષ્ટ ગણાયો છે?
A. ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની... Read More
Q. શું તમને તમારા બાળકો પ્રત્યે પ્રેમ છે?
A. એટલે વસ્તુ સમજવી પડે ને ! અત્યારે તમને એમ લાગે છે કે પ્રેમ જેવી વસ્તુ છે આ સંસારમાં ? પ્રશ્નકર્તા... Read More
Q. બાળકોની સાથે કેવી રીતે વર્તવું?
A. સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને... Read More
Q. ટીનેજર્સને કેવી રીતે સમજાવવા?
A. પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે.... Read More
Q. આજકાલ પ્રેમમાં નિષ્ફળતા શા માટે મળે છે?
A. પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે... Read More
A. પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે... Read More
Q. પ્રેમ હોવા છતાં શા માટે પતિ-પત્ની આપસમાં લડે છે? સંબંધોમાં મતભેદનું કારણ શું છે?
A. પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો યે દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ? દાદાશ્રી :... Read More
Q. શું વ્યવહારમાં સાચો પ્રેમ હોય છે?
A. જગત આસક્તિ ને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ... Read More
Q. સાચા પ્રેમને કેવી રીતે ઓળખવો?
A. બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા... Read More
subscribe your email for our latest news and events