વીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર વાપરો. હિંસાને હિંસાથી ના જિતાય. એ તો અહિંસાથી જ જિતાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઇગોઇઝમ'ને લીધે આ સંસાર ઊભો છે. બંધન 'ઇગોઈઝમ'ને લીધે છે. 'ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્' અને સત્યમાં શો ફેર છે ? સત્ય 'રીલેટિવ' છે, વિનાશી છે અને સત્ એ અવિનાશી છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનમોક્ષ એટલે શું ? દ્રષ્ટિભેદ થવો જોઈએ. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિભેદ કરી આપે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅજ્ઞાન ગયું ત્યારથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન ? પોતે પોતાનાથી જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ ‘વિજ્ઞાન’ કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી તો ગુહ્યતર ને ગુહ્યતમ ક્યારે સમજાય ?
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી અમૂર્તનાં દર્શન થયાં નથી ત્યાં સુધી મૂર્તિનાં દર્શન અવશ્ય કરવાં. મૂર્તિનાં દર્શન એ તો હિન્દુસ્તાનનું સાયન્સ છે. મંદિર દેખે ત્યાંથી જ પગે લાગે.
પરમ પૂજ્ય દાદા ભગવાનતમારા આંબાને ગમે તેટલું ખાતર નાખો તો તે સફરજન આપે ? ના. શાથી ? ત્યારે કહે, સ્વભાવ ના બદલાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events