ભગવાનની સાચી ઓળખાણ

ભગવાનની ભજના સૌ કોઈ કરે છે પરંતુ ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખ્યા નથી. ઉદાહરણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણની ભજના કરતા હોઈએ પણ આપણે એમના યથાર્થ સ્વરૂપને કેટલું ઓળખીએ છોએ? રાત-દિવસ જોડેને જોડે રહેનાર અર્જુનને પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપતા સમયે કહેવું પડયું કે અર્જુન “આજ સુધી તું મને ઓળખી નથી શક્યો, તે મારા ખરા સ્વરૂપને જાણ્યું જ નથી.” તો પ્રશ્ન ના થવો જોઈએ કે શ્રી કૃષ્ણનું ખરું સ્વરૂપ કયું?

ભગવાનની ભક્તિ પાછળનો હેતુ શું? ભગવાનની અનન્ય ભક્તિ કરવા છતાં ચિંતા શા માટે થાય છે?

શું ભગવાન સ્વર્ગમાં રહે છે કે સૃષ્ટિના કણ કણમાં છે? અને જો કણ કણમાં હોય તો તેને ખોળવા ક્યાં?

જગતની રચના કરનાર કોણ? જો ભગવાન સૃષ્ટિના સર્જનહાર છે તો ભગવાનને કોણે બનાવ્યા? અને એથી આગળ જો ભગવાન જગતના પાલનહાર છે તો કુદરતી આપત્તિઓ, બીમારીઓ, હિંસા, અકસ્માત, સુખ-દુઃખ, દરિદ્રતા, વૈભવ વિગેરે પાછળનું કારણ શું?

શું ભગવાનનું અસ્તિત્તવ ખરેખર છે કે મનુષ્યની ખાલી કલ્પના છે?

સારું થયું તો મે કર્યું અને ખરાબ થયું તો ભગવાનની ઈચ્છા. શું આ બધું વિરોધાભાસ નથી?

મુમુક્ષુના આવા ઘણા પ્રશ્નોના સમાધાન પરમ પૂજ્ય દાદા ભગવાને વૈજ્ઞાનિક રીતે કરાવ્યા છે, એટલું જ નહિ પરંતુ લાખો લોકોને સાચા ભગવાનની ઓળખાણ કરાવી એની અનુભૂતિ પણ કરાવી છે.

તો ચાલો ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખીએ જ્ઞાનીની દ્રષ્ટીએ..

ભગવાન મૂળ પુરૂષોની દ્રષ્ટિએ

બધા ભગવાને એમ જ કહ્યું કે, 'આત્માને ઓળખો, તમામ દુ:ખોથી છુટો અને મોક્ષે ચાલ્યા જાવ'. જ્ઞાનીઓ પણ આજે એજ રસ્તો બતાવી રહ્યા છે કે તમારી મહીં ભગવાન ખરા સ્વરૂપે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ભગવાન શું છે?

    A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે... Read More

  2. Q. ભગવાન કોણ છે?

    A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More

  3. Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?

    A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ... Read More

  4. Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?

    A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More

  5. Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?

    A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More

  6. Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?

    A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More

  7. Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?

    A. હા, તેઓ છે!  પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More

  8. Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?

    A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી... Read More

  9. Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?

    A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More

  10. Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!

    A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More

  11. Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.

    A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More

  12. Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?

    A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More

  13. Q. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?

    A. મૂર્તિ પૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More

  14. Q. ભગવાનના ગુણધર્મો કયા છે?

    A. ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે. શરીર એ તો ખોખું (આઉટર... Read More

  15. Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?

    A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણકે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More

  16. Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?

    A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More

  17. Q. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?

    A. દેવી અંબીકા, જે દુર્ગા માં કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્‍દુસ્તાનના ઘણા ધર્મોએ તેમને... Read More

  18. Q. મા સરસ્વતી શું સૂચવે છે?

    A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘ આત્મજ્ઞાન તરફ દોરી જાય તે’. તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More

  19. Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?

    A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More

Spiritual Quotes

  1. ગોડ ઈઝ ઈન એવરી ક્રીએચર વ્હેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. (ભગવાન દરેક જીવ માત્રમાં છે, પછી તે આંખે દેખાય એવા કે ન દેખાય એવા હોય) તમારી ને મારી વચ્ચે દૂરબીનથીય ન જોઈ શકાય એવા અનંત જીવો છે. 
  2. જો ભગવાન ઉપરી હોય અને તે જો મોક્ષે લઈ જનાર હોય, તો તો એ જ્યારે કહે કે અહીંથી ઊઠ, તો તમારે તરત જ ઊઠવું પડે. તેને મોક્ષ શી રીતે કહેવાય? મોક્ષ એટલે સંપૂર્ણ સ્વતંત્ર. કોઈ ઉપરી નહીં અને કોઈ અંડરહેન્ડ પણ નહીં. 
  3. આ દેહ તો (પેકીંગ) ખોખું છે. મહીં બેઠા છે તે ભગવાન છે. 
  4. પુરુષ તો કોનું નામ કહેવાય? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને 'પુરુષ' કહ્યા. 
  5. જેનામાં 'હુંકાર' ગયો હોય ને, ત્યાં પછી એ જ ભગવાન! જો કદી વધારે દર્શન કરવા જેવું પદ હોય તો આ એકલું જ કે જેનો 'હુંકાર' ગયો હોય, પોતાપણું ગયું હોય. જ્યાં પોતાપણું ગયું ત્યાં બધું સર્વસ્વ ગયું. 
  6. આ જગત સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી ચાલે છે. ચલાવનારો કોઈ બાપોય ઉપર નવરો નથી. 'વ્યવસ્થિત' શક્તિ કહીએ છીએ. તે બધાને વ્યવસ્થિત જ રાખે છે. 
  7. કર્તા થાય તો ભોક્તા થવું પડે ને? ભગવાન તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. પોતાના અપાર સુખમાં જ રાચ્યા રહે છે. 
  8. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઇ બાપો ય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તે ય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તે ય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને?
  9. 'તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારાં ઉપરી તારાં બ્લંડર્સ અને તારી મિસ્ટેકો છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.' 
  10. ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારો કોઈ ઉપરી જ નથી, કોઈ બાપોય ઉપરી નથી.
  11. જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે. 
  12. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે ‘કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે.  
  13. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતો નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે? અને આ મા-બાપ તો દેખાય છે. 
  14. આ નાસ્તિક હોય છે એ ભગવાનમાં માનતો ના હોય, ધર્મમાં માનતો ના હોય, પણ છેવટે નીતિમાં માનતો હોય છે ને નીતિ એ તો મોટામાં મોટો ધર્મ છે. નૈતિકતા વગર ધર્મ જ નથી. 
  15. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધ-ઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઈ જાય. 
  16. જે વધ-ઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે. 
  17. ભોગવે એની ભૂલ. એ ભગવાનની ભાષા! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ, ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.

Related Books

×
Share on