Related Questions

શું ભગવાને આ જગત બનાવ્યું છે?

ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ!

જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કે જેના કોઈ જવાબ નથી મળતા, જેવા કે:

  1. ભગવાને આ જગત બનાવ્યું તો, પછી ભગવાનને કોણે બનાવ્યા?
  2. ભગવાને આ જગત કેવી રીતે બનાવ્યું? શું તેમણે કુંભારની જેમ એક પછી એક વસ્તુ ઘડવા માટે સખત મહેનત કરીને બનાવી હશે ?
  3. શું ભગવાન પક્ષપાતી છે? તો પછી તેઓ શા માટે આ જગતમાં એક વ્યક્તિ ને ગરીબ અને બીજી વ્યકિતને શ્રીમંત બનાવતા હશે?
  4. જો ભગવાન અનંત સુખધામ છે તો પછી તેમણે આ જગતને દુઃખ અને ચિંતાથી કેમ ભરી દીધું?
  5. જ્યારે વરસાદ વરસે છે, તો શું ભગવાન પાણી બનાવવા જાય છે?

ના, આ બધુ નેચરલ એડજસ્ટમેન્ટ છે!

દાખલા તરીકે: જ્યારે બે હાઈડ્રોજન પરમાણું અને એક ઓક્સિજનનો પરમાણું બીજા પૂરાવા સાથે ભેગા થાય છે, ત્યારે તે પાણી બને છે. કોઈએ પણ બેસીને બનાવવું પડતું નથી, તે ઓટોમેટીક, એનીમેળે જ બની જાય છે.

આ જગત માત્ર સાઈન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવીડેન્સ (વૈજ્ઞાનિક સાયોંગીક પૂરાવા) દ્વારા જ ચાલે છે. ઉપરના દાખલામાં, હાઈડ્રોજન, ઑક્સીજન, હવા, ટાઈમ, આકાશ વગેરેને સાઈન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવીડેન્સ (વૈજ્ઞાનિક સાયોંગીક પૂરાવા) કહેવાય છે. કશુંક પણ બને તે અસંખ્યાત પૂરાવાઓ ભેગા થઈને બની જાય છે. તેમના ભેગા થવું કે ના ભેગા થવું તે કુદરતી ક્રિયા છે, કે જે કુદરત ના કાયદા પ્રમાણે ચાલે છે. જ્યારે તેઓ ભેગા થાય છે, ત્યારે જે કાર્ય હાથ પર હોય તે પૂરું થાય છે, અને જો ભેગા ના થાય તો કાર્ય થઈ શકે નહીં..

એ કયા આધારે નક્કી થાય છે?

પોતે જે કર્મો આ જીવનમાં બાંધે છે તે કોઝીઝ છે, કે જેના રીઝલ્ટ આપણે નેક્સ્ટ લાઈફમાં (આવતા ભવમાં) અસરો રૂપે ભોગવવા પડે છે. આવી રીતે આખું જગત કર્મોની ‘ઈફેક્ટ’ (અસરો) ના ફાઉન્ડેશન પર ચાલી રહ્યું છે.  

એ કુદરત જ છે જે પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિને વ્યવસ્થિત રાખે છે. આ કુદરતી પ્રક્રિયામાં ભગવાને હાથ ઘાલ્યો જ નથી.

કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !'  

તો પછી ભગવાનની ભૂમિકા શું છે?  

ભગવાન પ્રત્યેક જીવમાત્રમાં શુદ્ધ ચેતન સ્વરૂપે બિરાજેલા છે અને જે કંઈ પણ બની રહ્યું છે તેના જ્ઞાતા-દ્રષ્ટા પદમાં છે. તેઓ પોતાના નિજ સ્વરૂપમાં એટલે કે, અનંત સુખધામ સ્વરૂપમાં છે, જે સુખ આત્માનું અનંત સુખ છે.

આત્મા એટલે આપણો પોતાનું સ્વરૂપ, સાચું સ્વરૂપ અને એ જ શુદ્ધાત્મા છે. 

અજ્ઞાનતાથી આપણે જ આપણો સંસાર દુઃખદાયી બનાવીએ છીએ

અજ્ઞાનતાથી આપણે આપણી જાતને નામ રૂપ કે દેહરૂપ કે પ્રકૃતિ માનીએ છીએ, જો કે, વાસ્તવિકતા એ છે કે આમાનું કોઈપણ આપણું ખરું સ્વરૂપ નથી; તે માત્ર કર્મોની ઈફેક્ટ છે. સારા કર્મોની સારી અસરો થાય છે અને આપણને સારી પ્રકૃતિ, એક સારો દેહ અને તંદુરસ્ત મન પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી તરફ, ખરાબ કર્મોની ખરાબ અસર થાય છે.  

આ કર્મની અસરોને રોંગ બિલિફથી આપણી પોતાની માની, આપણે કર્મ પર કર્મ બાંધતા રહી છીએ અને આપણે આપણું દુઃખોથી ભરેલું નવો સંસાર ઉભો કરીએ છીએ. કોઝીઝ (કારણો) બંધ નહી થાય, જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું*’ (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું) એવું આપણી બિલિફમાં કોતરાઈ (સુદ્રઢ થઈ) ગયું છે ત્યાં સુધી. માત્ર જ્યારે જ્ઞાની આપણને જાગૃત કરીને આપણને આપણા ખરા સ્વરૂપનો અનુભવ કરાવે છે, ત્યારે જ કોઝીઝ બંધ થાય છે અને એ સાથે જ નવા સંસારનું સર્જન બંધ થાય છે.  

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on