Related Questions

આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?

પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે

''આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.

શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.''

આમાં આત્માની શંકા આત્મા કરે છે કે બુદ્ધિ કરે છે ?

દાદાશ્રી: એ આત્માની શંકા આત્મા કરે છે, આ બુદ્ધિ નથી કરતી. આત્મા, એટલે જે અત્યારે તમારો માનેલો આત્મા છે તે અને મૂળ આત્મા, એ બે જુદા આત્મા છે. તમારો માનેલો આત્મા બુદ્ધિ સહિત છે. અહંકાર, બુદ્ધિ, બધા સાથે થઈને મૂળ આત્માની શંકા કરે છે. શું શંકા કરે છે ? કે 'મૂળ આત્મા નથી. એ એવું કંઈ લાગતું નથી.' એને શંકા આવે છે કે આમ હોય કે કેમ ?!

પ્રશ્નકર્તા: એટલે બુદ્ધિ ઉપરાંત જે આત્મા છે એ એની સાથે સંકળાયેલો છે.

દાદાશ્રી: આ જેને આપણે આત્મા જેને માનીએ છીએ, અગર તો આ જગત શેને આત્મા માને છે ? 'હું ચંદુભાઈ અને બુદ્ધિ મારી, અહંકાર બધું મારું અને હું જ આ આત્મા છું અને આ આત્માને મારે શુદ્ધ કરવાનો છે' એવું માને છે. એમને એમ ખબર નથી કે આત્મા તો શુદ્ધ છે જ અને આ રૂપક ઊભું થયેલું છે. એટલે આ પોતે-અહંકાર, બુદ્ધિ ખરી એમાં, તે શંકા કરે છે. બુદ્ધિ એકલી શંકા ના કરે. બુદ્ધિ અહંકારસહિત શંકા કરે. એટલે એ 'પોતે' થયો.

''આત્માની શંકા કરે, આત્મા 'પોતે' આપ !''

આ જ પોતે આત્મા છે અને તે પોતે પોતાની શંકા કરે છે. એટલે 'એના' વગર શંકા બીજો કોણ કરે ? એ શંકા ક્રોધ-માન-માયા-લોભ કરતું નથી કે મન કરતું નથી કે બુદ્ધિ કરતી નથી. આત્માની શંકા આત્મા જ કરે છે. એ અજાયબી છે, એમ કહે છે. પોતે પોતાની શંકા કરે છે. કારણ કે આ તો એટલું બધું અજ્ઞાન ફેલાયું છે કે પોતે પોતાની શંકા કરતો થઈ ગયો છે કે 'હું છું કે નહીં ?' એવું કહેવા માગે છે. કૃપાળુદેવનું આ બહુ સરસ વાક્ય છે, પણ સમજે તો !

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on