પ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે ?
દાદાશ્રી : હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તેં કોઈ રોગવાળાને જોયેલા ?
પ્રશ્નકર્તા : મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયાં.
દાદાશ્રી : એ તો બધું પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય. આ બધું હાર્ટએટેક ને એ પેલા પાપકર્મથી બધું થાય છે. નર્યાં પાપો જ બાંધ્યાં છે, આ કાળના જીવોએ, ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત !
પ્રશ્નકર્તા : એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું ?
દાદાશ્રી : ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતા જનમમાં મળશે. આ પાછલા જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે.
પ્રશ્નકર્તા : કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે ?
દાદાશ્રી : હા. એ રોગમાં એ જ પાપ કરેલાંને, તે પાપ અણસમજણથી કરેલાં એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યાં હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારાં છે, બિચારાં ! અણસમજણથી પાપ કરેલાં છોડે નહીં અને સમજણવાળાનેય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે..
Book Name : કર્મનું વિજ્ઞાન (Page #51 Paragraph #6 onwards and Page #52 Paragraph #1,#2,#3,#4)
A. પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?
A. દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ? દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે.... Read More
Q. બંધન કોને : દેહને કે આત્માને?
A. પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ? દાદાશ્રી : દેહ તો એ પોતે જ... Read More
A. પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ? દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ... Read More
Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.
A. પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારાં કર્મો પણ અહીંયાં જ બંધાય ને ? દાદાશ્રી : સારા કર્મો... Read More
Q. ખોટા કર્મોને (પાપ કર્મોને) સારા કર્મો (પુણ્ય કર્મો) ખલાસ કરી શકે?
A. પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે, ભોગવટામાં... Read More
Q. કર્મ બંધનમાંથી મુકિતનો માર્ગ.
A. પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ? દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે... Read More
subscribe your email for our latest news and events