Related Questions

શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?

દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડો ય ? એવું બને કે નહીં ?

પ્રશ્નકર્તા : હા. એવું બને છે.

દાદાશ્રી : લોકોને થતું હશે કે નહીં ? એનું શું કારણ ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ ?

જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને ! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી તે શી રીતે આ કાર્ય કર્યું મેં ? હવે જે ઈચ્છા નથી એ કર્મ 'મેં કર્યું,' એ શી રીતે કહો છો ? કારણ કે જગત શાથી કહે છે એને, 'તમે કર્મ કર્યું' એમ ? કારણ કે દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે, લોક કહેશે કે, આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું.

કોણે મોકલ્યા પૃથ્વી પર ?

પ્રશ્નકર્તા : આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે ?

દાદાશ્રી : કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે. ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારાં કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટાં કર્મો હોય તો ખોટી જગ્યાએ થાય. 

×
Share on