નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે: સાર, તમામ શાસ્ત્રોનો

ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી? એનું રહસ્ય શું છે?

પૂજ્ય દાદાશ્રીએ આ ગૂંચવણ પાછળના રહસ્યનો ફોડ પાડ્યો છે. તેમણે કહ્યું કે આચરણ અને વર્તન એ ગતભવનાં ભાવનું પરિણામ છે, ઈફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે. 

તમામ શાસ્ત્રોનાં સત્વનો સાર કાઢીને પૂજ્ય દાદાશ્રીએ આપણને નવ કલમોનાં સ્વરૂપમાં આપ્યો છે. આ નવ કલમો ભાવમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે ચાવીરૂપ છે. શાસ્ત્રોનો વિસ્તૃત અભ્યાસ પણ ભાવમાં આવો ફેરફાર નથી લાવી શક્તો.

આ નવ કલમોનાં સરળ સંદેશને અનુસરીને હજારો લોકો લાભ લઇ રહ્યા છે. આ નવ કલમો બોલવાથી, (ભાવના ભાવવાથી) અંદરના નવા કારણો સદંતર બદલાઈ જાય છે અને આ જીવનમાં જ જબરજસ્ત અંતરશાંતિ વર્તાય છે ! અને જીવનમાંથી બધી જ નકારાત્મકતા ધોવાઈ જાય છે. આ તમામ શાસ્ત્રોનો સાર છે.

મોક્ષમાર્ગ- આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પછી સરળ થઈ જાય છે.

 

ધર્મોનો સાર

ભગવાન કોઈ પક્ષમાં હતા નહી. બધા ભગવાને એવું જ કહ્યું કે આત્મા જાણો અને મોક્ષને પામો. આ વીડિયોમાં નીરુમા બધા ધર્મોના સાર વિશે સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?

    A. પ્રશ્નકર્તા : ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહિ એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકનાં ને કોઈકનાં તો... Read More

  2. Q. વાણી કેવી રીતે સુધારવી? કઠોર(દુઃખદાયી) શબ્દો કેવી રીતે ટાળવા?

    A. દાદાશ્રી : કઠોર ભાષા નહિ બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે... Read More

  3. Q. ખોરાકની લાલચ હોય તો શું કરવું? આધ્યાત્મિક રીતે સમરસી ખોરાક એટલે શું?

    A. દાદાશ્રી : આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું... Read More

  4. Q. અભાવ અને તિરસ્કાર કેવી રીતે ટાળવા?

    A. પ્રશ્નકર્તા : 'હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર... Read More

  5. Q. વિષયનાં વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?

    A. પ્રશ્નકર્તા : 6. 'હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે... Read More

  6. Q. કોઈ પણ ધર્મનું પ્રમાણ શા માટે ના દુભાવવું?

    A. પ્રશ્નકર્તા : 2. 'હે દાદા ભગવાન! મને કોઈપણ ધર્મનું કિચિંત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે... Read More

  7. Q. કોઈને મોક્ષમાર્ગ તરફ કેવી રીતે દોરી જવા?

    A. પ્રશ્નકર્તા : 9. 'હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો,... Read More

  8. Q. તમે તમારો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે વધારી શકો?

    A. એવું છેને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે,... Read More

  9. Q. સાર, તમામ શાસ્ત્રોનો: નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે

    A. એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ... Read More

  10. Q. ઋણાનુબંધમાંથી કેવી રીતે મુક્ત થવું?

    A. પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ? દાદાશ્રી :... Read More

Spiritual Quotes

  1. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે !
  2. આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.
  3. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું.
  4. જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય !!
  5. અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો ! આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, તે જગતનાં લક્ષમાં હોય નહિને !
  6. આ નવ કલમો બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને, એ બધા ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ.
  7. આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય.
  8. કલમો તો જો વાંચેને, એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
  9. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
  10. મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય.

Related Books

×
Share on