પ્રતિક્રમણ : ક્ષમા માંગો પશ્ચાતાપ સાથે

આપણામાંનાં ઘણા શ્રદ્ધા સહિત ધાર્મિક ક્રિયાઓ સાથે સજ્જડ રીતે જોડાયેલા છે. આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા? અંતર શાંતિ કેમ નથી મળતી?

ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું? તેનાથી કેવી રીતે છૂટાય? પ્રતિક્રમણ(પશ્ચાતાપ સાથે માફી માંગવી) કેવીરીતે કરવા? આપણા દોષોનો(પાપકર્મનો) પશ્ચાતાપ કેવીરીતે કરવો? તેને ફરીથી થતાં અટકાવવા માટે શું કરવું?

શું પાપીઓ પુણ્યશાળી બની શકે? આવાં અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે?

જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા શોધાયેલ ભાવ પ્રતિક્રમણથી આખા વિશ્વનાં ઘણા લોકો અંતર શાંતિ અનુભવી રહ્યા છે અને રાગ અને દ્વેષને ધોરી મૂળ સહિત નિર્મૂલન કરી રહ્યા છે.

તમે એ જોઈને આશ્ચર્ય અનુભવશો કે તમારા જીવનમાંથી દ્વેષભાવ અને વેર ને દૂર કરવામાં પ્રતિક્રમણ કેવીરીતે મદદ કરે છે.

 

ભાવ પ્રતિક્રમણ

આપણે રોજબરોજના વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જાણતા અજાણતા દુઃખ આપી દેતા હોઈએ છીએ. અને જો પાછળથી આપણી ભૂલ સમજાય તો આપણે માફી મંગાવી જોઈએ. પ્રસ્તુત વીડિયોમાં નીરુમા ભાવ પ્રતિક્રમણ વિશે સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. પ્રતિક્રમણ એટલે શું?

    A. દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું? એ તમે જાણો છો? પ્રશ્નકર્તા : ના દાદાશ્રી : તમે જેવું જાણતા હો... Read More

  2. Q. પ્રતિક્રમણ કેવી રીતે કરવું?

    A. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે. દાદાશ્રી : એટલે તમારી... Read More

  3. Q. મૃત વ્યકિત પાસેથી માફી કેવી રીતે માંગવી?

    A. પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું... Read More

  4. Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?

    A. પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More

  5. Q. તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?

    A. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ... Read More

  6. Q. જૂઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું? તેનો પશ્ચાતાપ કેવી રીતે કરવો?

    A. પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ? દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ... Read More

  7. Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?

    A. પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી : તે એને 'તું' એવું રાખજે, કે આ ખોટી... Read More

  8. Q. નેગેટીવ વિચારોને કેવી રીતે બંધ કરવા?

    A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં... Read More

  9. Q. સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય ! (આત્મ જ્ઞાન પછી સાચું પ્રતિક્ર્મણ થાય.)

    A. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ? દાદાશ્રી : સમકિત... Read More

  10. Q. આવશ્યક ધાર્મિક સિદ્ધાંત.

    A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More

Spiritual Quotes

  1. આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે. પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે.
  2. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડ ને એવું બધું ના હોય ને ! આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાંય અવતારથી અમારી આ લાઈન, કેટલાંક અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.
  3. જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !
  4. માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા 'જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, 'પ્રતિક્રમણ'.
  5. દાદાની પાસે માફી માગવી, જોડે જોડે જે વસ્તુને માટે માફી માગીએ, તે માટે મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માગીને લેજો, તમારી પોતાની વાપરશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ?
  6. પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ?
  7. મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય. પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.
  8. જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતોને ? તે ઉલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે ! તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ?!! દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય.
  9. આ 'અક્રમ વિજ્ઞાન' છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ 'વિજ્ઞાન' અને કરવાપણું હોય એનું નામ 'જ્ઞાન' !
  10. આ તો વિજ્ઞાન છે !! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે. 'ધીસ ઈઝ ધ કૅસ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન' 'કૅશ બેન્ક' આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માગું એ આપવા તૈયાર છું. માગતો ભૂલે.

Related Books

×
Share on