Related Questions

શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?

આપણે કંઈપણ ખરાબ કરીએ તો શું ભગવાન આપણને સજા આપે છે?

જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ જીવનમાં એની મેળે જ આવશે; તેનો અપયશ થશે અને સજા થશે.  

પરંતુ એવું નથી કે ભગવાન તેને સજા આપે છે! 

ભગવાન ક્યારેય પણ કોઈને સજા કે ઈનામ આપતા નથી. આપણને જે પણ સજા કે ઈનામ પ્રાપ્ત થાય છે તે બધુ જ આપણા પોતાના જ કર્મનું પરિણામ (કોઝીઝ ની ઈફેક્ટ છે) અને આ પરિણામ કુદરત દ્વારા આપણને આવે છે.  

જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન (મિકેનિકલ) જડ છે, કુદરત એના કાયદો એવો છે કે, આપણે જે કર્મ બાંધ્યા તેની ઈફેક્ટ આપણને એનીમેળે (ઓટોમેટિક) જ આવે છે. જો આપણે ખરાબ કર્મ બાંધીશું તો આપણે જ ભોગવવું પડશે. અને જો સારા કર્મ બાંધીશું તો સુખ ભોગવીશું. કુદરતનો કાયદો આવી રીતે જગતને નિયમમાં રાખે છે. આ જગત એક ક્ષણવાર પણ આ કાયદાની બહાર ગયું નથી. 

ભગવાનના ઘરે સાચું કે ખોટું, સારું કે ખરાબ, એવું હોતું જ નથી; તેથી ભગવાન કદી આમાંથી કોઈનામાં હાથ ઘાલતા જ નથી. જો કે ભગવાનને એવા સર્વ સત્તાધીશ માનીને અને જ્યાં પણ આપણી ભૂલ હોય ત્યાં તેઓ દંડ આપે છે એમ માનીને આપણે ભગવાનના ડરમાં જીવીએ છીએ. ભગવાનથી ડરવાને બદલે, આપણે ભૂલોથી ડરવું જોઈએ, કે જેના કારણે આપણને ભોગવટો કે દંડ સહન કરવો પડે છે.  

તો પછી લોકો આપણને એવી સલાહ શા માટે આપે છે કે, ‘ભગવાનથી તો ડરો.’ 

તો આ પ્રશ્નનો જવાબ જાણવા, ચાલો આપણે પહેલા સમજીએ કે ભગવાનના ડરનો અર્થ શું છે:  

ભગવાન માટેના ડર (ભય)નો અર્થ શું ?  

ભગવાનથી ડરવાનો અર્થ ભગવાન માટેનો આદર જાળવાવો, તે સારું છે, કારણકે તેમના વચનનું પાલન કરવામાં સિન્સયારીટી અને પ્રતિબદ્ધતા લાવે છે અને આનાથી તેમના બતાવેલા માર્ગે ચાલી શકાય. જો કે એવું માનવામાં આવે છે કે, જેટલો ભગવાનથી ડરે, તેનો ડર ખરેખર એ ભગવાન પ્રત્યેની તેની અનન્ય આરાધના દર્શાવે છે. તે જ બતાડે છે કે, તેની ભગવાનની ઈચ્છા પ્રમાણે નું જીવન જીવવાની કેટલે તમન્ના છે અને નહી કે તેની પોતાની ધૂન કે કલ્પના કે મુજબ. તે એવું પણ દર્શાવે કે છે તે ભગવાનને કેટલા પ્રેમથી રાજી રાખવા માંગે છે, કે જેમને તે સૌથી વધુ પ્રેમ કરે છે; અને તેથી જ તેને કોઈપણ રીતે અપરાધ કરવાનો ભય લાગે છે.  

શું ભગવાન મારી ભૂલોની માફી આપશે?  

આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ આપણાથી ભૂલો તો થાય જ છે. જો કે, ભગવાને આપણને માફ કરવા નથી આવવું પડતું કારણકે તેઓ કોઈને પણ સાચા કે ખોટા એ રીતે જોતા જ નથી. ભગવાન તો દરેક જીવમાત્રની મહીં શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છે, કે જેઓ નિષ્પક્ષપાતી રીતે પ્રત્યેકના જ્ઞાતા દ્રષ્ટા છે, બસ આટલું જે છે!

પરંતુ શું તમે જાણો કે, ભગવાનની સાક્ષીએ, પ્રતિક્રમણથી માફી માંગવાના, ૩-સ્ટેપ (રીતો) અપનાવીને, ભોગવટામાં રાખતી આપણી ભૂલોમાંથી આપણે જડમુળથી નિર્મૂળ થઇ શકીએ એમ છે.  

ચાલો જોઈએ કેવી રીતે.... 

ધારો કે કોઈ વ્યક્તિ આજે ચોરી કરે છે. હવે, ભગવાન સમક્ષ પોતાની ભૂલોનું રક્ષણ કે બચાવ કર્યા વિના શુદ્ધ (પવિત્ર) ભાવ સાથે;  

  1. પોતાની ભૂલનું ખરા હૃદયથી આલોચના કરે કે, ‘હે ભગવાન! હું આલોચના કરું છું કે મેં ચોરી કરી છે’,
  2. પસ્તાવા પૂર્વક માફી (પ્રતિક્રમણ) માંગવા કહો કે. ‘ હે ભગવાન! હું માફી માંગુ છું’, અને
  3. પ્રમાણિકતાથી(સિન્સયરલી) ભગવાન પાસે શકિત માંગો કે ફરી આ ભૂલ વાર ન કરવાના નિશ્ચય માટે કહેવું કે, ‘હે ભગવાન! આ ચોરી કરવાની ભૂલ ફરીવાર ના કરું એવી મને શક્તિ આપો’;

આવું કરીને, પોતે જૂનો અભિપ્રાય કે, ‘ચોરી કરવામાં કંઈ ખોટું નથી.’ તે તરફથી બદલવા (ચેન્જ) થવા માંડ્યો કે, ‘ચોરી કરવી એ ખોટું છે.’  

કોઈ પણ ભૂલ જ થાય છે, એ ખોટા અભિપ્રાયને લીધે છે. અભિપ્રાય ને ફેરવવો એ મહાન ઉપલબ્ધિ છે. વ્યક્તિની મહીં એક વાર સંપૂર્ણપણે અભિપ્રાય બદલાઈ જાય, પછી એ વ્યકિત કુદરતનો ગુનેગાર બનતો અટકે છે, અને તેથી પછી કુદરત તેને દંડ નથી આપતી.  

પ્રતિક્રમણ એ પાપ કર્મને (અભિપ્રાય) મૂળમાંથી ઉખેડી નાશ કરવામાં મદદ કરે છે કે જેના પરિણામે આ ભૂલો થાય છે. જ્યારે મૂળીયું જ નાશ થાય છે, તેનો અર્થ એ છે કે આપણે એ ભૂલ ફરી વાર નહીં કરીએ.

તો જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, ત્યારે તેનાથી ડરવાના બદલે, જો આપણે તુરંત જ પ્રતિક્રમણ કરીએ તો, બહુ મોટું કર્મ હોય તો એ પણ આમ બળેલી દોરી જેવું દેખાય અને જેવા હાથેથી અડીએ તો ખરી પડે એમ ખરી પડે છે. તેની બદલે જો આપણે પ્રતિક્રમણ કરવાનું ચૂકી જઈએ તો, આપણે વધુ ને વધુ ખરાબ કર્મો બાંધવાનું ચાલુ રહે છે, અને વધુ ને વધુ સજા મળતી રહે. પસંદ (ચોઈસ) આપણી છે!  

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on