Related Questions

ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?

પ્રકૃતિ પર નથી ઇશ્વરની ય સત્તા!

પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ સૃષ્ટિ સર્જાય છે.

દાદાશ્રી: બરોબર છે. એમાં ગીતામાં અમુક બાબત તો ખુલ્લી કરી છે. કેટલીક બાબતો એવી રાખી છે કે જ્યાં અધ્યાહાર રાખ્યું છે. આ 'હું' જ્યાં કહે છે પોતે, ત્યાં આ 'શુદ્ધાત્મા'ની વાત છે. એ કૃષ્ણ ભગવાન નથી. હવે લોકો છે તે પોતપોતાની ભાષામાં સમજે. અને આ પ્રકૃતિ એ તો એમાં કોઈ જાતની આપણી, મનુષ્યની કોઈ ક્રિયા ચાલે એવી નથી, ઈશ્વરનું ય ચાલે એવું નથી. એ બધું આ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એક્ઝેક્ટ માણસ રૂપાળા-બુપાળા, કદરૂપા-બદરૂપા, બધું એના હાથમાં છે અને તોલી-તોલીને, જરા ય ફેર ન પડે.

પ્રશ્નકર્તા: પણ એ માણસ કદરૂપા કે સારા રૂપાળા થવાનું, જે કરે છે વ્યવસ્થિત શક્તિ, તેનો આધાર શેના ઉપર?

દાદાશ્રી: એ આધાર આપણો જ. આપણા જે ભાવ પૂર્વે હતા અને જે અવસ્થિત થયા હતા આપણે, અવસ્થિત જે ભાવમાં અવસ્થિત થયા, તેનું આ આની મારફત વ્યવસ્થિત થઈને આવે છે.

પ્રશ્નકર્તા: બરાબર એટલે કો'ક માણસ પાડાનો વિચાર કર્યા કરે તો બીજે જન્મે પાડો થાય?

દાદાશ્રી: પાશવી વિચાર કરે ને, એટલે પશુતામાં જાય એ. અને સજ્જનતાના વિચારો કરે, માનવતાવાળા વિચારો કરે, તો પછી મનુષ્યમાં આવે. અને દૈવી વિચાર એટલે શું? સુપર હ્યુમન કે તમે મને નુકસાન કરો, તો ય હું તમને ઉપકાર કરું. તમે ફરી નુકસાન કરો તો ય ઉપકાર કરું, એવું દસ વખત એ ચાલ્યા કરે એટલે જાણવું કે આ સુપર હ્યુમન છે. એ દેવલોકમાં જાય.

એટલે એમાં આપણી આ જે મહીં સર્જનક્રિયા થાય છે, એની નોંધ કોણ લે છે? એ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એ નોંધ પછી એ ગોઠવી કરીને રૂપક આપે છે. અને વિસર્જન તો કમ્પ્લીટે ય એના હાથમાં છે, વ્યવસ્થિત શક્તિના! વિસર્જન માત્ર એના હાથમાં છે. ફક્ત આપણને એમ લાગે છે કે આ સર્જન આપણા હાથમાં છે, તે ય નિમિત્ત છે. કેવું છે?

પ્રશ્નકર્તા: નૈમિત્તિક.

દાદાશ્રી: સ્વતંત્ર જો સર્જન હોય તો તો બધું જગત બધું જુદી જાતનું ચાલે. એટલે આ જગત આખું સમજવા જેવું છે.

Reference: Book Excerpt: આપ્તવાણી 11(P) (Entire Page #174, Page #175 - Paragraph #3)

જગત ચાલે સ્વભાવથી જ!

દાદાશ્રી: કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે!'

 કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જગત સ્વભાવથી જ ઊભું થઈ ગયું છે. સ્વભાવથી જ ચાલે છે. એવું ગીતામાં 'સ્વભાવથી જ થયેલું', કહેલું છે. એટલે સ્વભાવથી જ થઈ રહ્યું છે.

'ન કર્તૃત્વં, ન કર્માણી, લોકસ્ય સૃજતિ પ્રભુઃ

ન કર્મફળ સંયોગં, સ્વભાવસ્તુ પ્રવર્તતે!'

જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે 'વ્યવસ્થિત' નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે. છતાં તેમાં આખા વડની શક્તિ છે, શક્તિ રૂપે આખો વડ તેમાં સમાયો છે. 'વ્યવસ્થિત' સંયોગ તેમાં ભેળા કરી આપે અને વડ રૂપે પરિણમે સ્વભાવથી.

'વ્યવસ્થિત' જગતને ચલાવનાર છે. એ જગતની ક્રિએટર નથી. જગત તો સ્વભાવથી બનેલું છે. અને 'વ્યવસ્થિત' છે તે સ્વભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં. આ જગતનાં 'મૂળ તત્વો' છે તે સ્વભાવિક છે. તે રિલેટીવમાં આવે છે ત્યારે વિભાવિક થાય છે.

જગત બંધ થઈ જશે તો? બંધ થાય એવું જ નથી. કારણ કે જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોકો કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું-મોડું બંધ થાય જ. મોક્ષે જાય છે તે ય સ્વભાવથી જ થાય છે! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહિ. રામચંદ્રજી ગયા. કૃષ્ણ ભગવાન ગયા તો ય જગત ચાલ્યું! આ જગત કોઈએ બનાવ્યું નથી. આ તો સ્વભાવથી જ ચાલે છે! એટલે આ જગતનો સ્વભાવ જ કેવો છે? પરિવર્તનશીલ, નિરંતર ચેન્જ થયા જ કરે હરેક વસ્તુનો.

 Reference: દાદાવાણી Dec 2002 (Page #27 - Paragraph #6 to #12)

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on