Related Questions

જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઉભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા વર્તનથી સામને પડેલા દુષપ્રભાવોને સમજવા જરૂરી છે. તે વ્યક્તિ સ્વયં-શંકા, એકલતા, ગભરાટ, ચિંતાઓ, ભય અને ડીપ્રેશન વગેરે અનેક પ્રકારની લાગણીઓ અનુભવી શકે છે.

આવા સમયે સ્વયંને પ્રશ્ન પૂછવો જોઈએ કે, ‘જો મારા સાથે આવું થાય તો શું મને ગમશે? જો હું તેમના જેવી જ સ્થિતિમાં મૂકાવ તો મને કેવું લાગશે?’ પોતાને એમની જગ્યાએ રાખીને જુઓ! પછી, તમે તેમની સાથેના વર્તનને સુધારવા માટે શું કરી શકો છો? જો તમે આ વાંચી રહ્યાં છો, તો તમે પહેલેથી જ જાણો છો કે તમે કોઈને દુ:ખ પહોંચાડ્યું છે અને તમારે હવે ચેતીને તેમના સાથેના વર્તનને બદલવાની જરૂર છે.

આગળ શું કરવું: 

  • તમારા ખરાબ વર્તનની તેમના સમક્ષ માફી માંગો અને ફરીથી એવું ક્યારેય નહીં કરો એમ વચન આપો.
  • તેમની સાથે વાતચીત કરો અને તમારી વચ્ચે જે તણાવ ઉભો થયો છે તેને દૂર કરો.
  • હવેથી તેમની સાથે સાચા અને પ્રમાણિક બનો.
  • સમજો કે સંજોગો તરત જ બદલાશે નહીં. સમય લેશે, તેથી ધીરજ રાખો.
  • તમારા ખરાબ વર્તનને તમારા અને તેના પર પડેલા પ્રભાવોનું વિશ્લેષણ કરો.
  • એવા કારણો શોધો કે જેના કારણે તમે આવી રીતે વર્તન કરો છો અને તેમને ટાળો.

જ્યારે તમારાથી કોઈને દુઃખ અપાય છે ત્યારે પ્રતિક્રમણનો વૈજ્ઞાનિક અનુભવ કરી જુઓ.

આ પરિસ્થિતિનું એક આંતરિક અને વૈજ્ઞાનિક સમાધાન છે જેમાં તમે આત્મહત્યા કરવા માંગતા લોકોનું કારણ બન્યા છો. ક્ષમા માંગો.

પ્રતિક્રમણની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને માફી માંગવાથી, સમય જતાં તે વ્યક્તિ સાથેના તમારા હિસાબ સમાધાનપૂર્વક પુરા થઇ જશે. તદુપરાંત, તમે એક પણ શબ્દ કહ્યા વિના, તેમના માટેના કોઈપણ પ્રકારનું દુ:ખ અપાયું હોય તે માટે માફી માંગી શકો છો. 

સામી વ્યક્તિએ હાજર રહેવાની જરૂર નથી. આ પ્રતિક્રમણ તેઓ જ્યાં હશે ત્યાં પહોંચશે. તેનાથી કોઈ ફરક ના પડે કે તમે ન્યુયોર્કમાં છો અને તે ન્યુઝિલેન્ડમાં છે. સામને આપેલા દુ:ખને તમે સરળતાથી દૂર કરી શકો છો.

આ ક્રિયામાં, તમે તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા પોતાના આક્રોશથી પાછા ફરશો અને એમના તરફનો આંતરિક ભાવને બદલાઈ જશે. કોઈપણ જીવમાત્ર સાથે તમે કરેલી ભૂલોને ભાંગવાનું આ એક માત્ર ખૂબ જ શક્તિશાળી સાધન છે. જ્યારે પણ તમે કોઈના પ્રત્યે ક્રોધ, અણગમો, કપટ, લોભ અથવા તિરસ્કારનો અનુભવ કરો છો, ત્યારે ફક્ત પ્રતિક્રમણ કરો તેનાથી તરત જ તમારા ખરાબ વર્તનના દોષના અપરાધક ભાવથી મુક્તતા અને હળવાશ અનુભવશો.

ક્રિયા અસરકારક બનાવા માટે, તમારે દિવસમાં ૩૦ થી ૬૦ મિનિટ સતત પ્રતિક્રમણ (ક્ષમા) માંગવી જોઈએ. ત્યારે સામી વ્યક્તિના માટે તમને પોતાનામાં એક બદલાવ આવવાનો શુરુ થયો હોય એવું લાગશે. એમના પ્રત્યે તમારો તિરસ્કાર અને દ્વેષ ઓછા થતા જશે. સામે પક્ષે તેઓ પણ આ પ્રકારના પરિવર્તનનો અનુભવ કરશે.

પ્રતિક્રમણ કરવા માટેની પ્રક્રિયા ૩ પગથિયા દ્વારા નીચે દર્શાવેલ છે:

તમે જે ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તેમને યાદ કરીને અને સાક્ષીએ રાખી:

  • આલોચના – કોઈ પણ અપરાધ અથવા દુષ્કર્મનો સ્વીકાર કરી દિલથી સ્વીકારવું.
  • પ્રતિક્રમણ - કોઈપણ ખોટું કૃત્ય કરવા બદલ પસ્તાવા સાથે માફી.
  • પ્રત્યાખ્યાન – દુષ્કર્મને ફરી ના કરવાનો દ્રઢ નિર્ણય.

આ ક્રિયામાં ફક્ત થોડી સેકંડનો સમય લાગે છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on