બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્ય પાલન અંગેની માર્ગદર્શિકા

બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃતિઓ ને કાબૂમાં કર્યા વિના પાલન કરવું શક્ય છે?

હા!

બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા કોઈપણ રીતે ભાગ નથી લેતા કે તેને પ્રોત્સાહિત નથી કરતા. તમે પરણેલા છો કે નહીં તે મહત્વનું નથી. જે લોકોને એ સમજવું અને શીખવું છે કે, બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું, તેમના માટે જ્ઞાની પુરુષની આ અદ્વિતીય નવી દ્રષ્ટી, અનન્ય અને ગેરંટી વાળી (ખાતરીબંધ) ચાવી છે.

  • બ્રહ્મચર્ય પાળવા માટે અત્યંત આંતરિક ભાવના હોવી જોઈએ અને ભગવાન પાસે મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવાની શકિત માંગવી જોઈએ.
  • મનને કાબૂ કરવાના બદલે, તમારાં મનને વિષયી ઈચ્છાઓમાં ફસાવતાં કારણો શોધી કાઢો અને તુરંત જ તેમનાથી લિંક તોડી નાખો.
  • બ્રહ્મચર્યના ફાયદાઓ અને વિષયનાં ગેરફાયદાઓનું એનાલિસીસ (વિશ્લેષણ) કરો.
  • પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વિષયનો સામાવળિયો થયો, ત્યાંથી જ નિર્વિષયી થવા માંડ્યો.” મન-વચન-કાયાથી વિકારી વિચારો, ઈચ્છાઓ અને ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. આ બ્રહ્મચર્ય પાળવા તરફનું પગથિયું છે.
  • પરણેલા લોકો માટે, આપસી સમજૂતીથી બ્રહ્મચર્ય વ્રત લેવું અથવા આ યુગમાં વિષયમાં વફાદાર રહેવું તે બ્રહ્મચર્ય છે. 

ખાલી દમન કરવા કરતા, સમજણથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી એ, “સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય” પુસ્તકમાં વ્યવહારમાં (પ્રેક્ટીકલી) ઉપયોગમાં આવે તેવી ચાવીઓ આપી છે. તેમણે અણહક્કનાં વિષયોનાં પરિણામો, બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓ, સાથે સાથે રોજબરોજ નાં જીવનમાં બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું તે પણ સમજાવ્યું છે.

નીચેના પ્રશ્નો અને તેના જવાબો ના આધારે તમારી સમજણને શુદ્ધ કરો:

બ્રહ્મચર્ય સમજણથી

માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.

play
previous
next

Top Questions & Answers

  1. Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?

    A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More

  2. Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?

    A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More

  3. Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?

    A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહું ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાનાં ઉપાયો... Read More

  4. Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?

    A. જો તમારે કંઈપણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઇફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો... Read More

  5. Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.

    A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યકિત, વિચારો, શરીરનાં અંગો, વગેરે) ની કિંમત... Read More

  6. Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?

    A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More

  7. Q. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?

    A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ... Read More

  8. Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?

    A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More

  9. Q. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?

    A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More

  10. Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી

    A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More

  11. Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?

    A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દ્ઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More

  12. Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?

    A. હસ્તમૈથુન.. એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More

Spiritual Quotes

  1. એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.
  2. વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે.
  3. અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!
  4. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી. અહીં દ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. અહીં તો બધા વિશ્વાસથી આવે ને ! અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.
  5. પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી !
  6. કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.
  7. આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ.
  8. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય !
  9. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે.
  10. જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે.

Related Books

×
Share on