સંબંધોમાં સમસ્યાઓ : દોષ જોવાનું બંધ કરી દો

આપણને વ્યવહારમાં શામાટે સમસ્યાઓ ઊભી થાય છે? વ્યવહારમાં કેવીરીતે મતભેદ નિવારવા? ઘરમાં કેવી રીતે સુખી રહેવું? લોકોને ખબર જ નથી ઘરમાં કેવીરીતે રહેવું? પોતે ઘરમાં કોઈનીય ભૂલો બતાવવી ના જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે."

"જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે."

બીજાનાં દોષો જોવાનું કેવીરીતે બંધ કરવું? કોઈ પણ વ્યકિત નિર્દોષ દ્રષ્ટિ કેવીરીતે પામી શકે? નીજ સ્વરૂપની અજ્ઞાનતાનાં કારણે વ્યક્તિ હમેંશા બીજાના દોષ જુએ છે અને પોતાના દોષ જોઈ શક્તો નથી.

આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તમે પણ અંતરશાંતિ અને સુખ નો અનુભવ કરી શકો છો.

 

નિર્દોષ દ્રષ્ટિ

નિર્દોષ દ્રષ્ટિ એટલે કોઈ દોષિત નથી, મારું જ કરેલું મને ફળ આવે છે. જેમ પહાડ પરથી કાંકરો પડીને વાગ્યો તો કોઈને ગુનેગાર ગણતા નથી, તેમ જીવતા માણસોથી આપણને કંઈ વાગ્યું તોય વાંક કાઢવો નહી એનું નામ નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ જોવાની દ્રષ્ટિ મેળવો પૂજ્ય દીપકભાઈ દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. વ્યવહારમાં આપણને શામાટે સમસ્યાઓ થાય છે?

    A. પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી... Read More

  2. Q. ઘરમાં કેવી રીતે સુખી રહેવું?

    A. જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈઆએ. જ્યાં પ્રેમ હોય ત્યાં... Read More

  3. Q. શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?

    A. પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય... Read More

  4. Q. બીજાને દોષિત જોવાનું આપણે કેવી રીતે બંધ કરી શકીએ?

    A. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને... Read More

  5. Q. વ્યવહારમાં મતભેદ પડતા કેવી રીતે અટકાવી શકાય?

    A. પ્રશ્નકર્તા : આપણે કલેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો... Read More

  6. Q. બાળકોને સુધારવામાં શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?

    A. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા... Read More

  7. Q. સાસુ-વહુનાં પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?

    A. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે... Read More

  8. Q. અપમાનનો સામનો કેવી રીતે કરવો?

    A. પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો... Read More

  9. Q. શું આપણે પ્રીજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?

    A. દોષ જોવાનું બંધ કરી દોને ! પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ... Read More

  10. Q. કામ-કાજની જગ્યા પર આળસુ લોકોની સાથે કેવી રીતે વર્તવું?

    A. પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી :  ખોટું... Read More

Spiritual Quotes

  1. દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે.
  2. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે.
  3. ભૂલ કબૂલ કરી કે ભઈ, આ ભૂલ મારી થયેલી છે બા. ત્યારથી શક્તિ બહુ વધતી જાય.
  4. પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે.
  5. ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે
  6. જાગૃત થયા એટલે બધી ખબર પડે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકુંય ભૂલ જડે નહીં
  7. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે
  8. જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.
  9. જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાંખવી છે, તે પરમાત્મા થઈ શકે છે.
  10. શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં.

Related Books

×
Share on