Related Questions

શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?

એડજ્સ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરુરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા મુજબ, બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે, 'એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે 'એડજસ્ટ એવરીવ્હેર' ! 

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ ". જ્યારે જુદા જુદા પ્રકારના વ્યક્તિત્વ, લક્ષણો અને વલણો ધરાવતી વ્યક્તિઓ હોય અને આપણે બધાને આપણી ઈચ્છા પ્રમાણે ચલાવવા જઈએ તો ત્યારે, આપણે જીવન શાંતિપૂર્ણ કેવી રીતે પસાર કરી શકીએ ? ત્યારે ખરેખર તો એડજસ્ટ થવું ડહાપણ ભર્યુ છે અને આવું કરવાથી આપણે આપણા મનની શાંતિ જાળવી શકીશું. 

તમારી જાતને આ પરિસ્થિતિમાં મુકીને જુઓ, તમે શું કરો છો ? અને શા માટે ?

  • તમારા બોસ જ્યારે તમારું અપમાન કરીને ઊંચા અવાજે બોલે છે ત્યારે તમે કેમ જોબ મુકી નથી દેતા ?

             કારણકે તમને પગાર મળે છે, જે તમને ઘર ચલાવવામાં મદદરુપ થાય છે.            

  • તમે રોડ પર બમ્પ પાસે પહોંચો ત્યારે ગાડી ધીમી પાડે દો છો ?

             કારણ કે ગાડીને નુકશાન અને તમને ઇજા ના થાય તે માટે.

  • શા માટે તમે જ્યારે ઘરની બહાર ગયા હોય ત્યારે જુદા જુદા શાવર્સ, પલંગ, ઓશીકા, દરવાજાનાં હેન્ડલ, નળ અને સ્વીચોને એડજસ્ટ થાવ છો ?

             કારણકે તમારે પાસે કોઈ ચોઈસ નથી અને તમે ત્યાં માત્ર થોડા સમય માટે જ છો.

  • તમે શિયાળમાં જેકેટ શા માટે પહેરો છો ?

             કારણકે તમે બહાર ગરમી વધારી નથી શક્તા, તમારી પાસે કોઈ ચોઈસ નથી.  

  • ગંધ આવતી હોય તેવા એરીયામાં થી પસાર થતી વખતે તમે તમારા નાકને શા માટે ઢાંકી દો છો ?

             કારણકે તમને ખરાબ હવાની ગંધ ના આવે એટલા માટે.

  • તમે તમારું કબાટ હવામાન પ્રમાણે શા માટે બદલાવો છો ?

             કારણકે તમે જાણો છો કે તમે હવામાન બદલી શકો તેમ નથી, તેના પર તમારો કંટ્રોલ નથી.

  • તમે શા માટે શેરીમાં આવેલ ખાડામાં ચાલવાનું ટાળો છો ?

             કારણકે ત્યાં પડી જવાની અને વાગી જવાની શક્યતાઓ છે.            

ઉપરની બધી ઘટનાઓમાં જે પરિસ્થિતિ છે તેમાં આપણે જાણીને એડજસ્ટ થઈએ છીએ, કારણકે આપણને સંપૂર્ણ રીતે ખબર છે કે જો આપણે નહી થઈએ તો શું થશે. એવી જ રીતે, જીવનમાં આપણે જાણીને, આપણી આજુબાજુનાં વ્યક્તિઓ અને સંયોગોને એડજસ્ટ થઈએ તો અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકીએ. આ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવા સમર્થ બનાવશે.

દાદા ભગવાનનાં શબ્દોમાં, "સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે, ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. "

જ્યારે તમે એડજસ્ટ થવામાં નિષ્ફળ જાવ છો ત્યારે બંને તરફનું નુક્શાન જાય છે. તમને અને સામી વ્યક્તિ બંનેને દુઃખ થાય છે. તો નુક્શાનને ટાળો અને શીખો જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું.

×
Share on