પ્રતિક્રમણ વિધિ
પ્રત્યક્ષ 'દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી *............ ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે #............. દોષ થયા છે, તેની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો.
હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
* જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું.
# જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા.
(તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. 'ચંદુલાલ' પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.)
|