સફળતા અને નિષ્ફળતા મનુષ્યનું જીવન, તે પછી સામાન્ય માણસનું હોય કે સુપરમેનનું, તે હમેંશા સફળતા અને નિષ્ફળતાના પ્રસંગોથી ભરેલું હોય છે. જોકે, આપણી બુધ્ધિ આપણને નિરંતર એવું બતાવે છે કે, સફળતા મળે તે સારું અને નિષ્ફળતા મળે તે ખરાબ. કારણકે આપણે માનીએ છીએ કે, સફળતા અને નિષ્ફળતા એ આવડતનો માપદંડ છે. તે આપણી ક્ષમતાઓને ખીલવામાં મદદ કરે છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે ખીલી ના જાય.

પરંતુ, હકીકતમાં બને છે શું? નિષ્ફળતાની પરિસ્થિતિમાં, આપણે તે અનુભવમાંથી શીખવાને બદલે હતાશ(ડીપ્રેશ) થઈ જઈએ છીએ. એવી જ રીતે, સફળતાની પરિસ્થિતિમાં, આપણે એટલા એલીવેટ થઈ જઈએ છીએ કે જાણે આપણે મહાન બની ગયા હોઈએ. આ બંને પરિસ્થિતિમાં, આપણે ભારે અસરમાં આવી જઈએ છીએ જેનાથી આપણે પોતે જે આપણી પ્રગતિને રૂંધી નાંખીએ છીએ.

શું તમારે જાણવું છે એ કેવી રીતે બને છે? તો ચાલો જોઈએ.

success-failure
success-failure

પરિસ્થિતિ ૧ : સફળતા પછી : “હા, આખરે મેં કરી બતાવ્યું.”, “ હવે કોઈ મને જીતી નહી શકે!”, “આ બધું મેં એક્લાએ જ કર્યું છે”,“હું સંપૂર્ણ થઈ ગયો છું!”,“આ બધું ફક્ત મારા લીધે જ શક્ય બન્યું છે.”

પરિસ્થિતિ ૨ : નિષ્ફળતા પછી : “અરે! હું તેને કાપી ના શક્યો!”, “હું જાણતો જ હતો કે હું તે પૂરું નહી કરી શકું, મારા જન્માક્ષરમાં લખ્યું હતું.”, “હવે, મારું શું થશે?”. “મારા બધા પ્રયત્નો નકામા ગયા”, "ભગવાન ને લીધે આ બધુ થયું છે.”, “મારી નિષ્ફળતાનું કારણ તમે જ છો.”

બંને પરિસ્થિતિમાં, આપણે પછીના વાક્યો પર ધ્યાન આપીએ. જો આપણે સફળ થયા તો, આપણે આપણી જાતને બધી ક્રેડીટ આપીએ છીએ. જો આપણે નિષ્ફળ થયા તો, આપણે ભગવાન પર, બીજા લોકો પર કે આપણા નસીબ પર પણ આરોપ મૂકીએ છીએ. આ રીએક્શન કેટલા વિરોધાભાસી છે! આનું કારણ એ છે કે જ્યારે આપણે કર્તાને ઓળખવાનો હોય ત્યારે પક્ષપાતી બની જઈએ છીએ, ખરેખર ગુનેગાર કોણ છે એની તપાસ પણ કરતા નથી. આવું કરીને, આપણે માત્ર ભગવાન અને બીજા લોકો સાથેના આપણા સંબંધોને જ બગાડીએ છીએ એટલું જ નહી પરંતુ આપણે આપણી પોતાની પ્રગતિને પણ રૂંધીએ છીએ કારણકે આપણે એવું વિચારીએ છીએ કે, ગુનેગાર વ્યક્તિઓ ગેરહાજર હશે તો જ આપણને સફળતા મળશે. વાસ્તવમાં, શું તે વ્યક્તિઓ કે વસ્તુઓ આપણી સફળતા કે નિષ્ફળતાનું કારણ છે? ના ! કારણકે એમાનું એક પણ હાજર ના હોય તો પણ, સફળતા કે નિષ્ફળતા તમારી સામે આવે જ છે, બરાબર ને?

તો આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આપણે જોઈએ!

  • આપણી સામે જે કંઈ પણ સફળતા કે નિષ્ફળતા આવે છે, એ આપણા જ પૂર્વકર્મનું ફળ છે. જો સારા કર્મો હોય તો કોઈ પણ કાર્ય કરવામાં ઓછા પ્રયત્નોમાં જ સફળતા મળે અને ખરાબ કર્મો હોય તો તમે તમારું શ્રેષ્ઠ યોગદાન આપો તો પણ નિષ્ફળતા અપાવે. તો પછી, આપણે શા માટે નિષ્ફળતાનો આરોપ ભગવાન પર લગાવવો જોઈએ, કારણકે ભગવાનને આની સાથે કંઈ લેવા દેવા જ નથી.
  • સફળતા કે નિષ્ફળતા બંને કાયમ માટે ટકતી નથી. તો પછી આપણે નિષ્ફળતામાં શા માટે નિરાશ થવું જોઈએ, કારણ કે તે વિનાશી છે.

જો કે સફળતા કે નિષ્ફળતા થોડા સમય માટે જ ટકે છે, બંને જતા પહેલા આપણને કંઈક શીખવાડીને જાય છે. જેમ સફળતા આપણને શીખવે છે કે, ભારે મહેનત અને પોઝીટીવ દ્રષ્ટિકોણના ફળ મીઠા હોય છે તેમ નિષ્ફળતા શીખવે છે કે, તેના કડવા ફળમાં એવી શક્તિ છે કે જે આપણી બધી નબળાઈઓ અને નેગેટીવિટીને અનુક્રમે શકિતઓ અને પોઝીટીવિટીમાં પરિવર્તિત કરી શકે છે. નિષ્ફળતા એ એક કુદરતી પ્રેરણા છે જે આપણને સફળતા તરફ ધકેલે છે, જો તેને બધી તકોના અંત તરીકે નહી પણ કંઇક નવું શીખવાની તક તરીકે લેવામાં આવે તો. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વારંવાર સફળતાના મીઠા ફળ ચાખવા મળે તો આપણે ઘેલછા કે અભિમાનમાં ના ફસાઈ જઈએ.

success-failure
success-failure

ટૂંકમાં, જ્યારે પણ આપણે સફળતા કે નિષ્ફળતાનો સામનો કરીએ ત્યારે ,આપણે ઉપર દર્શાવેલ અભિગમને સતત ધ્યાનમાં રાખવાની જરુર છે. તેના માટે આપણે એ સ્વીકારવું પડશે કે સફળતા અને નિષ્ફળતા જીવનની વિનાશી અવસ્થાઓ છે, કારણકે તે જેમ આવે છે તેમ જાય પણ છે. તો પછી જીવનમાં કાયમનું કોણ છે? એ છે, તમારો પોતાનો, આત્મા, એ કાયમી છે અને એનો અનુભવ કરવાથી તે સફળતા અને નિષ્ફળતાના સમયે તમને પોઝીટીવ સંતુલિત વલણ રાખવામાં મદદરૂપ થશે. આ અભિગમથી સફળતામાં તમે છકી નહી જાઓ અને નિષ્ફળતામાં હતાશ(ડીપ્રેશ) નહી થઈ જાઓ.

હકીકતમાં, આવો સંતુલિત અભિગમ તમને જીવનના દરેક ક્ષેત્રમાં સરળતાથી અને ઝડપથી સફળતા પ્રાપ્ત કરવા માટેની બે મુખ્ય ચાવીઓ અનુસરવા માટે સમર્થ બનાવશે.

  • તમારા ધ્યેય પ્રત્યે સિન્સિયર રહો. (સિન્સિયરીટી રાખવી એ પ્રથમ ચાવી છે)
  • ગમે તેવા કપરાં સંયોગોમાં પણ હતાશ થયા વગર પોઝીટીવ વલણને જાળવી રાખો. (પોઝીટીવ વલણ રાખવું એ બીજી ચાવી છે).

આ ઘણાં મહાન ઐતિહાસિક વ્યક્તિઓનો પણ આ જ સંદેશ છે જેવાકે અબ્રાહમ લિંકન અને હેલન કેલર કે જેઓ તેમના ક્ષેત્રમાં આ બે ગુરુ ચાવીઓ દ્વારા સફળ થયા હતા. અબ્રાહમ લિંકન વાસ્તવમાં પોતાની રીતે જ ભણ્યા હતા અને છતાં પણ ગુલામી નાબુદ કરવા અને સરકારનાં આધુનિકરણ માટે અમેરીકાનાં સોળમાં પ્રમુખ બની શક્યા હતા. એવી જ રીતે, હેલન કેલર પહેલા એવા અંધ બહેરા વ્યકિત હતા કે જેમણે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમણે દુનિયાભરના અપંગ વ્યક્તિઓને મદદ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તે અમેરીકન ફાઉન્ડેશન ફોર ધી બ્લાઈન્ડ સંસ્થાના સ્થાપક પણ હતા.

ઘણા લોકોએ આવા સંતુલિત અભિગમની અવસ્થાનો અનુભવ કર્યો છે, કે જેઓ હવે નિષ્ફળતા અને સફળતા બંને પાસાને જીવનમાં હારીને પાછા પડવા માટે નહી પણ આગળ વધીને પ્રગતિ કરવા માટેની પ્રેરણાના સ્ત્રોત તરીકે જુએ છે.

તો પછી તમારે શા માટે પાછળ રહેવુ જોઈએ? શા માટે હવે પછીની જ્ઞાનવિધિ માં ભાગ ના લેવો જોઈએ? 

×
Share on