'નિરાંત' એ સીનયર સીટીઝનસ (વડીલો) કે જેઓ તેમની જીવન સંધ્યાના બાકીના દિવસો આધ્યાત્મિક સંકુલના આનંદદાયક પર્યાવરણમાં પસાર કરવા માગે છે. તેમના માટેનું નિવાસ સ્થાન છે.
તેમાં ૪૮ ઓરડામાં આશરે ૮૩ વડીલોનો સમાવેશ થાય છે.
મકાનો, ઓરડાઓ, બાથરૂમ વિગેરે રચના વડિલોની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે.
વિશાળ અને બધી જ જરૂરિયાતોનો સમાવેશ કરી લેતાં ઓરડાઓ ઉપરાંત વડીલો માટે એક પ્રાર્થના-યોગા ખંડ, ખાસ વાહનની સગવડતા, તેમના આરોગ્ય માટે મુલાકાતી દાકતર, તેમજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર માટેના માર્ગદર્શક વિગેરે પણ ઉપલબ્ધ છે.